Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ. એકેડમી, નાની નરોલી ખાતે પી.એમ. ના જન્મદિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

Share

ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ. એકેડમી, નાની નરોલી ખાતે નેશનલ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના નિર્દેશક સાથે REINTRODUCTION OF CHEETAH IN INDIA- Initiative by Prime Minister Narendra Modiji (પ્રધામંત્રી કે જન્મદિન કે અવસર પર દેશ અને દેશની ભાવિ પેઢી માટે એક વધુ ઉપહાર: પ્રોજેક્ટ ચિત્તા) કાર્યક્રમ યોજાયો. નાઝ રિઝવી ( નિયામક: ભારત સરકાર, નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના નિર્દેશક) મેડમ અને ડૉ.સી.આર. મગેશ ઉપસ્થિત રહ્યા હતા. 

કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ જાગૃતિ, ચિત્તા પ્રજાતિ અંગેની જાગૃતિ અને પર્યાવરણ પરાકાષ્ઠા પરિવર્તન અંતર્ગત વિદ્યાર્થીઓને આવનારી પેઢી માટે પર્યાવરણને સુરક્ષિત કરવા માટેના પગલાં લેવા જાગૃત કરવાનો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે નાઝ રિઝવી (વર્તમાન હોદ્દો – નિયામક: ભારત સરકાર, નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય) મેડમ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કેરિયરમાં તેણીએ એજ્યુકેશન હેડ, ટેકનિકલ હેડ, પ્રાદેશિક મ્યુઝિયમ કોઓર્ડિનેટર, ઓફિસ હેડ વગેરે તરીકે વિવિધ ક્ષમતાઓમાં કામ કર્યું છે. તેણી ભારત સરકારમાં તેના 4 પ્રાદેશિક સંગ્રહાલયોની સાથે નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીના સંપૂર્ણ નિર્દેશક તરીકે સેવા આપી રહી છે. કાર્યક્રમના વિશેષ અતિથિ તરીકે ડૉ.સી.આર. મગેશ હાજર રહ્યાં હતાં. જેઓ સાહિત્યની સમીક્ષા કરવાની ક્ષમતા, પ્રયોગો ડિઝાઇન કરવા, પ્રયોગો કરવા, પાત્રાલેખન અને સામગ્રીનું વિશ્લેષણ, ક્ષેત્ર સર્વેક્ષણ વગેરે.,વિદ્યાર્થીને સંશોધન અને પ્રોજેક્ટમાં માર્ગદર્શન આપવાનો અનુભવ, સંશોધનની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવાની ક્ષમતા, રિમોટ સેન્સિંગ અને GIS ડેટા વિશ્લેષણનો અનુભવ, વર્કશોપ, પ્રદર્શનો અને પરિષદો યોજવાની ક્ષમતા ધરાવે છે.
 
મુખ્ય અતિથિ નાઝ રિઝવી મેડમ અને ડૉ.સી.આર.મગેશનાં હસ્તે શાળામાં થયેલ રચનાત્મક પ્રવૃત્તિઓ જેમાં કલા-ચિત્રકલા, પક્ષીઓ માટે નેસ્ટ બનાવવાની પ્રવૃત્તિ, રંગોળી, વિજ્ઞાન અને ટેકનોલોજીના મોડલો & ચાર્ટ, હિન્દી અને સંસ્કૃતમાં ચાર્ટ્સ, વેદ-પુરાણો તથા શાળામાં વર્ષ દરમિયાન થયેલી દરેક પ્રવૃત્તિઓનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ એ.વી. રૂમમાં એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ દિવસ નિમિત્તે તેમની કારકિર્દી દરમિયાન એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટેનાં તેમના દ્રષ્ટિકોણ દ્વારા તેમણે કરેલાં દેશ માટેના કાર્યોની ઝાંખી પ્રેઝન્ટેશન અને પાત્ર ચિત્રણ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્ય અતિથિએ ઉદબોધનમાં પર્યાવરણ જાગૃતિ અને ચિત્તાની પ્રજાતિ જે ભારત દેશમાંથી લુપ્ત થઈ ગયેલ છે, તેને ફરીથી ભારત દેશમાં સ્થાયી કરવા અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જે કાર્ય હાથ લીધેલ છે તેની વિદ્યાર્થીઓને માહિતી આપી તથા ડૉ.સી.આર.મગેશ જીએ પણ ચિત્તાની પ્રજાતિ વિશે માહિતી આપી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ-નર્મદા જીલ્લાનાં સાતપુડા ડુંગરનાં વિસ્તારમાં એકમાત્ર નેત્રંગ તાલુકામાં ત્રણ ડેમ અને પાંચ નદીઓ વહે છે,છતાં ધરતીપુત્રોને પાણી માટે કકળાટનો સામનો કરવો પડી રહ્યો છે.

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં ૩૫ ગ્રા.પંચાયતમાં ચુંટણીમાં સરપંચના ૧૫૯ – સભ્યોના ૯૨૦ ઉમેદવારીપત્રો ભરાયા.

ProudOfGujarat

ભરૂચ થી જંબુસર જવાના માર્ગ પર બે ટ્રંકો વચ્ચે અકસ્માત. રૂરલ પોલીસ ઘટના સ્થળે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!