Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં પુનઃ ઓએનજીસી ગ્રાઉન્ડ ખાતે 48 ફૂટના રાવણનું દહન કરાશે.

Share

રાજ્ય સૌથી મોટા રાવણ દહન આયોજન પૈકીનું એક આયોજન અંકલેશ્વર ખાતે થાય છે. 48 ફૂટના રાવણ, 45 ફૂટના કુંભકર્ણ અને 43 ફૂટના મેઘનાથના પૂતળા છેલ્લા 40 દિવસમાં 6 કલાકાર તૈયાર કર્યા છે. મહારાષ્ટ્રના શિવકાશીની ભવ્ય આતીશબાજી પણ રાવણ દહનનું અનેરું આકર્ષણ બને બને છે.

અંકલેશ્વરના ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા 48 વર્ષથી આ આયોજન ઓએનજીસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી રહ્યું છે, રામલીલા અને દશેરાનો મેળો પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, ત્યારે હાલ દશેરા પર્વને લઇ કારીગરો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Advertisement

કોરોના કાળ બાદ ફરી એકવાર અંકલેશ્વરમાં દશેરાના પર્વને ધામધૂમથી ઉજવવવા માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઇ ચુક્યો છે, ત્યારે શહેરીજનો પણ રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા માટે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

વલસાડ સ્ટેશને યાત્રીની બેગ ટ્રેનમાં રહી ગઇ, આરપીએફે પરત કરી

ProudOfGujarat

અંકલેશ્વર : હોટલ સિલ્વર સેવનનાં પાર્કીંગમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

વડોદરા : સાઇબર ક્રાઇમ અને મહિલાલક્ષી ગુનાઓ અટકાવવા અંગે અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!