Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહેમદાવાદ ખાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીનો ભાજપના ઉમેદવારને જીતાડવા શંખનાદ.

Share

મહેમદાવાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણના ચૂંટણી પ્રચારાર્થે આવેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથજીએ વધુમાં જણાવ્યું હતુ કે, ગુજરાતની ભૂમિ વીરસપૂતોની ભૂમિ છે. ગુજરાતને બ્રીટીશ હકુમતને દેશમાંથી હાકી કાઢનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તથા લાખંડી પુરુષ સરદાર પટેલ પણ આપ્યા છે. આ જોડીએ ગુજરાતને વિશ્વમાં ગૌરવ અપાવ્યુ છે. હાલમાં વૈશ્વિક નેતૃત્વમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભાજપને ભારે ગૌરવ અપાવ્યુ છે. વિશ્વની પાંચ મહાશકિતઓમાં ભારતનો સમસાવેશ થયો છે. આગામી વર્ષોમાં વિશ્વના વીસ મોટા દેશોનું નેતૃત્વ પણ ભારતના વડાપ્રધાન કરશે તે વાત સુનિશ્ચિત બની છે. અરે…. ગોકુળ વૃદાવન અને મથુરામાં કનૈયાના નામે ઓળખાતા યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણને દ્વારકાધિશ બનાવનાર ગુજરાતની પ્રજા છે.

કોરોનાકાળમાં સમગ્ર વિશ્વ હલબલી ગયુ ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અને ગુજરાતની સરકારે આગોતરૂ આયોજન કરીને મફત રસીકરણની સાથે સાથે મફત રાશન પણ આપીને આ કોરોનાનો સંગ્રામ જીતવામાં ભારે સફળતા પ્રાપ્ત કરી છે વડાપ્રધાનને. આભારી છે હાલમાં વિધાનસભાની ચૂંટણીઓનો શંખ ફુકાઇ ગયો છે ત્યારે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની યાદ અપાવીને યોગીજીએ જણાવ્યુ હતુ કે, યુ.પી વિધાનસભામાં ૪૦૩ બેઠકોમાંથી માત્ર બે જ બેઠકો પર કોગ્રેસના ઉમેદવારો વિજયી બન્યા હતા તેમ ગુજરાતમાં પણ કોંગ્રેસના સૂપડાસાફ કરી નાખવા અપીલ કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રિયમંત્રી દેવસિહ ચૌહાણે સ્વાગત પ્રવચન અને ઉમેદવાર અને કેબિનેટમંત્રી અર્જુનસિંહ ચૌહાણ પ્રાંસંગીક પ્રવચન કર્યુ હતું. આ સમારંભમાં જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલ, પ્રદેશમંત્રી જહાન્વીબેન વ્યાસ અને પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણ સહીત જીલ્લા અને તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. ભારે માનવમેદની એ ભાજપના ઉમેદવારને જીતાડવા વંદે માતરમના ગગનભેદી નાદ કર્યા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વર : શ્રીમતી કુસુમબેન કડકીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વ. અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પણ કાર્યક્ર્મ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ શહેરના પાંચબત્તી પોલીસ સ્ટેશન સામે આવેલ મેવાવારા સ્ટોર માં બનીયાનધારી શખ્સ દ્વારા દુકાન માં પ્રવેશી હજારોની મત્તા ઉપર હાથફેરો કરી જતા ખળભળાટ મચ્યો હતો..

ProudOfGujarat

પ્રદેશ ભાજપ કારોબારીમાં CMની જાહેરાત: સરદારની પ્રતિકૃતિ સાથે 10 હજાર ગામમાં રથ ફરશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!