Proud of Gujarat
FeaturedGujaratINDIA

પીએમ મોદી બાદ ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં કર્યું પરિવાર સાથે મતદાન.

Share

આજે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ તેના અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. આજે સોમવારે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન 14 જિલ્લાની 93 બેઠકો પર ચાલી રહ્યું છે. અગાઉ 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર સરેરાશ 63.31 ટકા મતદાન નોંધાયું હતું.

ગુજરાત ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કામાં ઘણા મોટા નામો મતદાન કરશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ પણ સામેલ છે. PM મોદીએ અમદાવાદની રાણીપ સ્થિત નિશાન સ્કૂલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તો સાથે જ ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના નારણપુરાના અંકુરમાં કામેશ્વર મંદિર પાસે, મ્યુનિસિપલ કોર્પોરેશન પેટા પ્રાદેશિક કાર્યાલય ખાતે મતદાન કર્યું.

Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરવા માટે પરિવાર સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા. અમિત શાહે તેમની પત્ની અને પુત્ર સાથે નારણપુરાના મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું હતું. આ પહેલા પીએમ મોદી પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરી ચૂક્યા છે. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, હાર્દિક પટેલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.


Share

Related posts

રાજપીપળા : નર્મદામાં મોસમનાં કુલ વરસાદમાં તિલકવાડા તાલુકો–૨૯૧ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

ProudOfGujarat

માંગરોળ અને ઝંખવાવમાં સુમુલ ડેરીની 70મી વાર્ષિક સાધારણ સભા વર્ચ્યુઅલ માધ્યમથી યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ શહેર માં એક તરફ પાણી નો કકળાટ અને લોકો માં રોષ છવાયો છે તો બીજી તરફ ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી પહેલા શહેર ના માર્ગો ઉપર ના ડિવાઈડર ની સાફ સફાઈ કરવા ફાયર ના કર્મીઓ હજારો લીટર પાણી નો વેડફી રહ્યા છે…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!