Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા : ગુમાનદેવ રેલવે ફાટક રિપેરિંગ કામ માટે તા.૧૦ મી થી તા.૧૨ મી સુધી ત્રણ દિવસ માટે બંધ રહેશે.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપિપલા રેલવે લાઇન પર ગુમાનદેવ નજીક નાના સાંજા ત્રણ રસ્તા પાસેની રેલવે ફાટક રિપેરિંગ કામ માટે તા.૧૦ ડિસેમ્બરથી ૧૨ ડિસેમ્બર સુધી સદંતર બંધ રાખવામાં આવનાર છે. પશ્ચિમ રેલવેની એક યાદીમાં જણાવાયા મુજબ આ રેલવે ફાટક નં.૧૭ પર મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી ઉપરોક્ત ત્રણ દિવસ સુધી આવતા જતા તમામ વાહનો માટે આ રેલવે ફાટક બંધ રહેશે. વધુમાં જણાવાયા અનુસાર આ ત્રણ દિવસો દરમિયાન અંકલેશ્વર ભરૂચ તરફથી ઝઘડિયા તરફ આવવાવાળા વાહનો દઢાલ નજીકથી તેમજ બોરોસિલ કંપની નજીકથી ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારના રસ્તા પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ઝઘડિયાથી જવાવાળા વાહનોએ પણ ઝઘડિયાની વાલિયા ચોકડીથી જીઆઇડીસી વિસ્તારમાં થઇને જવાનું રહેશે. આ અંગે રેલવે વિભાગ દ્વારા ભરૂચ જીલ્લા કલેક્ટરને પણ જાણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચનાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા દેવી-દેવતાના ફોટોવાળા ફટાકડા પર પ્રતિબંધ મૂકવા તંત્રને રજૂઆત.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા ચાઇલ્ડ લાઈન દ્વારા આંગણવાડી કેન્દ્ર ખાતે માસ્ક વિતરણ કરાયું.

ProudOfGujarat

મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી ટ્રેન મારફતે દારૂનો જથ્થો લાવનાર ઇસમને ઝડપી પાડતી સુરત રેલ્વે પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!