Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના બાવાગોર દરગાહનો વાર્ષિક ઉર્સ તા. ૩ ફેબ્રુઆરીએ ઉજવાશે

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર નજીકના પહાડ પર આવેલ સુફીસંત હઝરત બાવાગોરની દરગાહનો વાર્ષિક ઉર્સ તા.૩ જી ફેબ્રુઆરીના રોજ મનાવાશે.

અત્રેના કારોબારી અધિકારી મોહંમદભાઇ સીંધી દ્વારા બહાર પડાયેલ એક યાદીમાં જણાવાયા મુજબ તા.૨ જી ફેબ્રુઆરીના રોજ બપોરે સંદલ શરીફનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તેમજ રાતના સાડા આઠ વાગ્યે સીદી ધમાલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ બીજા દિવસે તા.૩ જી ના રોજ આ જગ્યાના હાલના ગાદીવારસ હઝરત જાનુબાપુની ઉપસ્થિતિમાં દરગાહ શરીફનો વાર્ષિક ઉર્સ મનાવાશે.

Advertisement

ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના રતનપુર ગામથી ત્રણ કિલોમીટર દુર પહાડ પર આવેલ સુફીસંત હઝરત બાવાગોરની આઠસો વર્ષ જુની દરગાહ શરીફે ભારતભરમાંથી શ્રધ્ધાળુઓ દરગાહના દર્શનાર્થે આવે છે. દરરોજ બહોળી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે, અને દર ગુરૂવાર અને રવિવારના રોજ આ સ્થળે મોટું માનવમહેરામણ ઉમટે છે તેને લઇને મેળા જેવું દ્રશ્ય જોવા મળતું હોય છે. બાવાગોર આવવા માટે રાજપારડી રતનપુર અને ઝઘડિયાથી વાહનોની સગવડ મળે છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ગણેશ મહોત્સવને ધ્યાને લઈને અંકલેશ્વરમાં બિસ્માર માર્ગો રીપેર કરવા વિવિધ મંડળો દ્વારા માર્ગ મકાન વિભાગને રજૂઆત.

ProudOfGujarat

કરજણ તાલુકા સેવાસદન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામ પંચાયતોની ચુંટણીની મતગણતરી હાથ ધરાઇ.

ProudOfGujarat

જ્યોર્જિયાની એન્ડ્રીયાએ તેના સુંદર પપ્પી હુગોના જન્મદિવસની શુભેચ્છાઓ શેર કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!