Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના બાવાગોર દરગાહનો વાર્ષિક ઉર્સ તા. ૩ ફેબ્રુઆરીએ ઉજવાશે

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર નજીકના પહાડ પર આવેલ સુફીસંત હઝરત બાવાગોરની દરગાહનો વાર્ષિક ઉર્સ તા.૩ જી ફેબ્રુઆરીના રોજ મનાવાશે.

અત્રેના કારોબારી અધિકારી મોહંમદભાઇ સીંધી દ્વારા બહાર પડાયેલ એક યાદીમાં જણાવાયા મુજબ તા.૨ જી ફેબ્રુઆરીના રોજ બપોરે સંદલ શરીફનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તેમજ રાતના સાડા આઠ વાગ્યે સીદી ધમાલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ બીજા દિવસે તા.૩ જી ના રોજ આ જગ્યાના હાલના ગાદીવારસ હઝરત જાનુબાપુની ઉપસ્થિતિમાં દરગાહ શરીફનો વાર્ષિક ઉર્સ મનાવાશે.

Advertisement

ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના રતનપુર ગામથી ત્રણ કિલોમીટર દુર પહાડ પર આવેલ સુફીસંત હઝરત બાવાગોરની આઠસો વર્ષ જુની દરગાહ શરીફે ભારતભરમાંથી શ્રધ્ધાળુઓ દરગાહના દર્શનાર્થે આવે છે. દરરોજ બહોળી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે, અને દર ગુરૂવાર અને રવિવારના રોજ આ સ્થળે મોટું માનવમહેરામણ ઉમટે છે તેને લઇને મેળા જેવું દ્રશ્ય જોવા મળતું હોય છે. બાવાગોર આવવા માટે રાજપારડી રતનપુર અને ઝઘડિયાથી વાહનોની સગવડ મળે છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઇન નાણાકીય છેતરપિંડીના બનાવમાં લાખોની મત્તાનો કેસ શોધી કાઢયો.

ProudOfGujarat

તાપી જિલ્લાની આ ગ્રામ પંચાયતે દારૂ બંધીને લઈને કર્યો મહત્વનો નિર્ણય.

ProudOfGujarat

લીંબડી ખાતે આવેલા શાક માર્કેટમાં સાંજના સમયે આખલાનો અખાડો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!