Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : આદિવાસી અને જંગલ વિસ્તારમાં રહેતા પરિવારોના સર્વાંગી વિકાસ અર્થે પેસા એકટ કાયદો લાગુ કરવાની કોંગ્રેસ દ્વારા કરાઈ માંગણી.

Share

જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી પ્રજા અને પરિવારો સર્વાંગી વિકાસ થાય તેના હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા પેસા એકટ કાયદાની જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ પેસા એકટ કાયદો લાગુ નહીં થતા જંગલ વિસ્તાર અને આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થયો નથી અને મુશ્કેલીઓ ઉભી થઇ છે ત્યારે જંગલ વિસ્તાર અને આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થયા તેના હેતુસર પેસા એકટનું અમલીકરણ કરવામાં આવે તેવી માંગણી કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી છે જેની માહિતી આપવા પૂર્વ મંત્રી નારણ રાઠવાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિસદ યોજવામાં આવી હતી.

વડોદરાના સર્કિટ હાઉસ ખાતે સોમવારે યોજાયેલ પત્રકાર પરિસદમાં દાહોદના પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ ઉપસ્થિત રહ્યા હતા અને આદિવાસી સમાજને પડી રહેલી મુશ્કેલીઓ અંગેની વાત કરી હતી તેમજ કોંગ્રેસ પક્ષે 2022 માં રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવશે તો પેસા એકટની અમલવારીની જાહેરાત કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં અમરતપરા ગામ નજીક અમરાવતી ખાડીમાં કેમિકલ યુકત પાણીથી હજારો માછલીઓનાં મોત થવાને મામલે હવે GPCB ની તપાસ પર લોકો નજર કરી બેઠા છે.

ProudOfGujarat

વાંકલ: બાલદા પ્રાથમિક શાળામા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ની સંકલન મિટિંગ યોજાઈ

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટસિટી ખાતે કોયલા અને ખાણ વિભાગની ચિંતન શિબિર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!