Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના સંતરામ નગરના મકાનમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી

Share

નડિયાદના મંજીપુરા રોડ પર આવેલ સંતરામ નગરના મકાનમાં અચાનક આગ લાગતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. નડિયાદ ફાયર વિભાગની ટીમે આવી પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં ઘરવખરી બળીને રાખ થઈ ગઈ.

નડિયાદ શહેરના મંજીપુરા રોડ પર આવેલ સંતરામ નગર ચબુતરી ચોકમાં રહેતા જગદીશભાઇ ગોપાલભાઈના મકાનમાં આજે સવારે આગ લાગી હતી. ઘરમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું  જોકે આસપાસના બીજા મકાનો આગની ઝપેટમાં આવે તે પહેલાં નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગને જાણ થતાં ફાયરની ટીમ સ્થળ પર આવી પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધું હતુ. આ આગના કારણે મકાનમાં  રાખેલ મોટભાગની ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગી હોય તેવું અનુમાન ફાયર વિભાગે કર્યું છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વડોદરા શહેર અને જિલ્લાના ૨૫૮૯ બી.એલ.ઓ એ ઘરે ઘરે ફરીને મતદાર ઓળખ કાપલીઓનું વિતરણ શરૂ કર્યું.

ProudOfGujarat

વડોદરામાં સર્વેશ્વર મહાદેવની સુવર્ણ જડિત પ્રતિમા દર્શન માટે ખુલ્લી મુકાઈ

ProudOfGujarat

ભરૂચની ઝઘડિયા બેઠકના ભાજપના ઉમેદવાર સામે BTP એ ઉઠાવ્યો વાંધો, જાતિના મુદ્દે વાંધો ઉઠાવી ચૂંટણી અધિકારીને લખ્યો પત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!