Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના સંતરામ નગરના મકાનમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી

Share

નડિયાદના મંજીપુરા રોડ પર આવેલ સંતરામ નગરના મકાનમાં અચાનક આગ લાગતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. નડિયાદ ફાયર વિભાગની ટીમે આવી પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં ઘરવખરી બળીને રાખ થઈ ગઈ.

નડિયાદ શહેરના મંજીપુરા રોડ પર આવેલ સંતરામ નગર ચબુતરી ચોકમાં રહેતા જગદીશભાઇ ગોપાલભાઈના મકાનમાં આજે સવારે આગ લાગી હતી. ઘરમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું  જોકે આસપાસના બીજા મકાનો આગની ઝપેટમાં આવે તે પહેલાં નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગને જાણ થતાં ફાયરની ટીમ સ્થળ પર આવી પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધું હતુ. આ આગના કારણે મકાનમાં  રાખેલ મોટભાગની ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગી હોય તેવું અનુમાન ફાયર વિભાગે કર્યું છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ : પાયા વિહોણી જગ્યા સંદર્ભે કંથારિયા ગ્રામ પંચાયતના માજી સરપંચ ઐયુબ આદમ શેઠે નોંઘાવેલ ફરિયાદ રદ કરવા કલેકટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ વખત બ્રેઇન ડેડ વ્યક્તિનું અંગદાન કરાયું, અકસ્માતમાં બ્રેઇન ડેડ થયેલ વ્યક્તિના કિડની અને લીવરનું દાન કરાયું.

ProudOfGujarat

નેત્રંગ : અમેરિકા વસતા ભૂતપૂર્વ વિદ્યાર્થીએ રૂપિયા એક કરોડ દાન આપતા ચાસવડ આશ્રમ શાળામાં ઓડિટોરીયમ અને ભોજનાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!