Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના સંતરામ નગરના મકાનમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી

Share

નડિયાદના મંજીપુરા રોડ પર આવેલ સંતરામ નગરના મકાનમાં અચાનક આગ લાગતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. નડિયાદ ફાયર વિભાગની ટીમે આવી પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં ઘરવખરી બળીને રાખ થઈ ગઈ.

નડિયાદ શહેરના મંજીપુરા રોડ પર આવેલ સંતરામ નગર ચબુતરી ચોકમાં રહેતા જગદીશભાઇ ગોપાલભાઈના મકાનમાં આજે સવારે આગ લાગી હતી. ઘરમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું  જોકે આસપાસના બીજા મકાનો આગની ઝપેટમાં આવે તે પહેલાં નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગને જાણ થતાં ફાયરની ટીમ સ્થળ પર આવી પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધું હતુ. આ આગના કારણે મકાનમાં  રાખેલ મોટભાગની ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગી હોય તેવું અનુમાન ફાયર વિભાગે કર્યું છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટે રૂ. 69,422 કરોડનું પ્રભાવશાળી ટર્નઓવર નોંધાવ્યું

ProudOfGujarat

અલ્યા હાઉ આમ ન હોય..! પર્યાવરણની જાગૃતિ માટે ભરૂચ નગરપાલિકા અને ખાનગી હોસ્પિટલે લગાવેલા બોર્ડ ચર્ચાનું કેન્દ્ર બન્યા..વાંચીને શોધો ખામી..!!

ProudOfGujarat

ભરૂચમાં રાધા-કૃષ્ણ બનેલા 16 ભૂલકાંઓના કલરવથી સ્ટેચ્યુ પાર્ક ગુંજ્યો : સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ‘બિફોર જન્માષ્ટમી’ની ભવ્ય ઉજવણી, નાનકડા કાનુડા-રાધિકાઓએ ગરબે ઘૂમી કૃષ્ણમય માહોલ સર્જ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!