Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ તાલુકાના ઇખર સ્થિત હજરત ઇસા પીર રહમતુલાહ અલયહેની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

Share

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર સ્થિત તળાવની સામે આવેલી સુપ્રસિધ્ધ હજરત પીર ઇસા પીરની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. દર વર્ષે ઇસ્લામી શાબાન માસમાં સંદલ શરીફની વિધિ પરંપરાગત રીતે સંપન્ન કરવામાં આવે છે. આ પ્રસંગે અસરની નમાઝ બાદ ઉપરોક્ત દરગાહ શરીફ પર દરગાહ કમિટી દ્વારા સંદલ શરીફ અદા કરવામાં આવ્યું હતું. દરગાહ કમિટી તેમજ અકીદતમંદો દ્વારા દરગાહ શરીફ પર ફૂલ ચાદરો અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સલાતો સલામ નું પઠન કરવામાં આવ્યું હતું. સાથે સાથે દુઆ પણ ગુજારવામાં આવી હતી. સંદલ શરીફ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડયા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચના નેત્રંગમાં ગૌચરની જમીન જીઇબી ને સોપતા સરપંચ પર છેતરપિંડી નો આક્ષેપક કરતા ગ્રામજનો

ProudOfGujarat

પર્યાવરણ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા પોરબંદર નગરપાલિકાના તંત્રને પ્લાસ્ટીક ઉત્પાદન,વેચાણ અને ઉપયોગ બંધ કરાવવાં વારંવાર રજુઆતો

ProudOfGujarat

ભરૂચ : લિટલ સ્ટાર્સ હાઈસ્કૂલમાં 15 થી 18 વયના વિદ્યાર્થીઓને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!