Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ સી.બી.પટેલ આર્ટ્સ કોલેજમાં વાલી – અધ્યાપક સંમેલન યોજાયું.

Share

ધ નડીઆદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદમાં વાલી મંડળના ઉપક્રમે વાલી – અધ્યાપક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોલેજના આચાર્ય ડૉ.મહેન્દ્રકુમાર દવે સાહેબે વાલીઓએ આપેલા પ્રતિભાવોના સંદર્ભે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે – વિદ્યાર્થીઓ નિયમિત બને, તરસ પિપાસુ બને, વાલીઓ પોતાના બાળકોના વિકાસ સંદર્ભે અને અન્ય સમસ્યાઓના નિરાકરણ માટે કોલેજમાં આવે, વિદ્યાર્થીઓના કાઉંસેલિંગ માટેના પ્રયત્નો અંગે ઉંડાણપૂર્વક અધ્યક્ષીય પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે કુલ ૬૨ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બારોટ સંજયભાઈ, ભુપેન્દ્રભાઈ રાણા, નીલેશભાઈ જોશી,  સોમનાથજી અને સ્નેહલભાઈ ભટ્ટ આ તમામ વાલીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. કો – ઓર્ડીનેટર રજનીકાંત જૈને પૂર્વભૂમિકા રજૂ કરી હતી. વાલી મંડળના સંયોજક ડો.કલ્પના બેન ત્રિવેદી એ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું. પ્રા.આર.બી.સક્સેના એ આભારદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન કોલેજના તમામ અધ્યાપક ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં “નશામુક્ત ભારત અભિયાન” હેઠળ “આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસ”ની ઉજવણી કરાઈ

ProudOfGujarat

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક પાણીના ભોંયરામાં પડી જતા મહિલાનું મોત.

ProudOfGujarat

GPSC એક્ઝામમાં 1.60 લાખમાંથી 60% ઉમેદવાર ગેરહાજર રહ્યા, ઊંડાણમાં પુછાયેલા પ્રશ્નોએ મૂંઝવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!