Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ૨૩૬ દિવસ બાદ કોરોનાથી 81 વર્ષીય વૃદ્ધનું મોત નીપજયું

Share

આજરોજ ભરૂચ પંથકમાં એક 81 વર્ષીય વૃદ્ધનું કોરોનાના કારણે ખાનગી હોસ્પિટલમાં મોત નિપજયું હતું. રાજ્યમાં છેલ્લા 11 દિવસમાં કોરોનાના કારણે બીજું મોત નોંધાયું છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના 81 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મૃતકે કોરોનાની રસીના બંન્ને ડોઝ લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરૂચમાં કોરોના પોઝિટીવ મૃતકોની અંતિમ વિધી કરતા સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકીના જણાવ્યા મુજબ ૨૩૬ દિવસ બાદ ભરૂચ નજીક નર્મદા નદીના કિનારે આવેલ અલાયદા કોરોના સ્મશાનમા અંતિમ વિધી કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, અત્યાર સુધી ભરૂચ જિલ્લામાં કુલ ૨૫૭૮ વ્યક્તિઓના કોરોનાથી મૃત્યુ થયા છે. ભરૂચ જિલ્લામાં હાલ કોરોના પોઝિટીવ 6 જેટલા દર્દીઓ ઓ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

Share

Related posts

કેમ 21 વખત પરશુરામે પૃથ્વી પરથી કર્યો હતો ક્ષત્રિય કૂળનો નાશ? વાંચો રોચક કથા…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વાવાઝોડા વચ્ચે કોવિડની સુવિધા ઠપ ન થાય તે માટે તંત્ર એલર્ટ !

ProudOfGujarat

ઉમરપાડામાં પૂર્વ કેબેનીટ મંત્રીના હસ્તે વિવિધ વિકાસના કામોનું ખાતમુહુર્ત તથા મનરેગા યોજના અંગતર્ગત શ્રમિકોને જોબ કાર્ડનો વિત૨ણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!