Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળ વધેરવાની માંગ સાથે ભરૂચ AHP અને રાષ્ટ્રીય બજરંગ દળે કલેક્ટરને આવેદન આપ્યું

Share

આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરમાં શ્રીફળ વધેરવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

પાવાગઢ મહાકાળી મંદિરમાં તાજેતરમાં માતાજીને ભક્તો દ્વારા મંદિરમાં છોલેલું શ્રીફળ પર પ્રતિબંધ તેમજ મંદિર ગર્ભગૃહથી દુર માંચી પાસે શ્રીફળ વધેરવા નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયેલ છે. જેને કારણે ત્યાં દર્શને આવતા લાખો માઇ ભક્તોને હાલાકી ભોગવવી પડે છે. ટ્રસ્ટ જે મંદિરની વ્યસ્થાના ભાગરૂપે પોતાને મંદિરના માલિક સમજી હિન્દુ પરંપરાને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે ઉપરોક્ત ટ્રસ્ટનો નિર્ણય કરોડો હિંદુઓની આસ્થાને ઠેસ પહોચાડનારો છે. સીધા આક્ષેપ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ-રાષ્ટ્રીય બજરંગદળના ભરૂચ જિલ્લા મહામંત્રી જશવંતસિંહ ગોહિલની આગેવાનીમાં ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી પરંપરા જીવંત રાખવાની માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં પ્રોહીબિશન અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલ મહિલા સહિત બે આરોપીઓને પાસા એક્ટ હેઠળ અલગ અલગ જેલમાં મોકલાયા

ProudOfGujarat

રસ્તા ઉપર દૂધ ની નદી વહેતી થઈ

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા ગુવાહાટીના કામાખ્યા મંદિરે પહોંચી, પૂજા કરી અને માતાના આશીર્વાદ લીધા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!