Proud of Gujarat
INDIAFeaturedGujarat

નેત્રંગમાં તૌકતે વાવાઝોડાથી કેળ અને કેરીના પાકો થયા નષ્ટ…

Share

પ્રાપ્ત માહિત મુજબ સમગ્ર રાજ્ય કોરોના સંકમણના દર્દીઓના વધારાની સાથે એકાએક તૌકતે વાવાઝોડાની ઝપેટમાં આવતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે, છેલ્લા બે દિવસથી પવન તેજ ગતિએ ફુંકાતા ઘરના છાપરાના પતરા-નડીયા ઉડવા અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સહિત ઉડતી ધુળની ડમરીઓથી રહીશોને ભારે હાલાકીનો સામનો વેઠવો પડી રહ્યો છે,

તેજ ગતિના વાવાઝોડાના કારણે વીજ કંપનીના વાયરો તુટી પડવાથી છેવાડાના ગામોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો, ભારે ગરમી-બફારાના કારણે રહીશોની હાલત બદ્દતર બની જવા પામી હતી.

જેમાં મુખ્યત્વે તૌકતે વાવાઝોડાની મુખ્ય અસર ખેતી ઉપર પડી રહી હતી, જેમાં કેળનો તૈયાર પાક જમીનદોસ્ત થઇ ગયો હતો, અને કેરીના ઝાડ ઉપરથી કેરીઓ ખરી પડી હતી, ૮૦ ટકાથી વધુ કેરી અને કેળના પાકને નુકસાન પહોંચ્યાનું અનુમાન સેવાઇ રહ્યું છે, ખેડુતને ખાતર, બિયારણ અને ખેતમજુરી ફણ માથે પડી હતી, ખેડુતોની દયનીય હાલત બની વળતરની માંગ કરી રહ્યા છે, તૌકતે વાવાઝોડાની અસર હાલ પણ વતૉઇ રહી છે, આવનાર સમયમાં ભારે નુકસાન થઈ શકે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને GJ16 પેડલર્સ ગ્રુપ દ્વારા ફિટનેસ સાયકલિંગ રાઈડ યોજાઇ.

ProudOfGujarat

કડકડતી ઠંડીમાં તસ્કરોનો ગરમ તરખાટ. હજી, કેટલાં ATMને નિશાન બનાવશે…!

ProudOfGujarat

અંકલેશ્વરનાં ઔદ્યોગિક એકમો દ્વારા ખાડીઓમાં બેરોકટોક કેમિકલ યુકત પાણી છોડતા પર્યાવરણને ગંભીર નુકસાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!