Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા અને લિમોદરાની સીમના સાત ખેતરોમાંથી બોરવેલના સાધનો ચોરાયા

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં હાલ સીમચોર ટોળકી સક્રિય બનતા ખેડુતો ચિંતિત બન્યા છે. ઝઘડિયા પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ઝઘડિયા અને લિમોદરાના કુલ સાત ખેડૂતોના ખેતરોમાં તસ્કરો હાથફેરો કરી ગયા હતા. આ સાત ખેડુતો સિધ્ધરાજસિંહ પ્રવિણસિંહ પરમાર, સન્નીરાજસિંહ પ્રવિણસિંહ પરમાર, વિરાજસિંહ દિલિપસિંહ વાસદીયા, બળવંતસિંહ ગુમાનસિંહ પરમાર, કિરીટભાઇ ઠાકોરભાઇ રાવલ, શેખ મહમદસફી અબ્દુલમજીદ અને આયુષભાઇ ડી.પટેલ નામના ખેડુતોના ખેતરોમાં પિયતની ખેતી કરવા માટે બોરવેલ ડ્રીપ ફિલ્ટર મોટર કનેક્શન આવેલ છે. આ વીજ જોડાણને અનુલક્ષીને ખેતરોમાં ડી.પી. તેમજ વાયર સ્ટાર્ટર જેવા વીજ ઉપકરણો પણ લગાવેલ છે.

ગત તા.૨ જીના રોજ રાત્રિ દરમિયાન કોઇ અજાણ્યા ચોર આ ખેડૂતોના ખેતરોમાં રાખેલ આ બોરવેલ અને વીજ જોડાણ માટે રાખેલ વિવિધ સામાન ચોરી ગયા હતા. આ ખેડૂતોને બીજા દિવસ સવારે તેમના ખેતરોમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. આજુબાજુમાં શોધવા છતાં આ સાધનોની કોઇ ભાળ મળી નહતી. તેથી ઝઘડિયા અને લિમોદરાના ચોરીનો ભોગ બનેલ આ સાતેય ખેડૂતોએ ઝઘડિયા પોલીસ મથકે તેમના ખેતરોમાં બોરવેલના તેમજ અન્ય વીજ ઉપકરણોની ચોરી કરનાર અજાણ્યા ચોર વિરુધ્ધ ફરિયાદ લખાવી હતી. ઝઘડિયા પોલીસે ખેડૂતોની ફરિયાદ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ


Share

Related posts

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજાઇ.

ProudOfGujarat

નડિયાદમાં ક્રિકેટ રમવું ભારે પડયુ, 50 ફૂટ ઊંડા કૂવામાં યુવક પડયો.

ProudOfGujarat

ભરૂચના જુના તવરા ગામે પાંચ દૈવી મંદિરના નવમા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!