Proud of Gujarat
FeaturedGujaratINDIA

માતૃ વંદના દિવસે જાયન્ટસ ગ્રુપ ઓફ રાજપીપલાના સભ્યો મા-બાપના મંદિરે મહેમાન બની માતાઓ સાથે સાંજ વિતાવી.

Share

આમ તો મે મહિના માં માતાને યાદ કરવાનો અને પૂજવાનો દિવસ આવે એટલે સોશિઅલ મીડિયા પર માતાના ફોટા સાથે માતૃવંદનના ભાવ ઉત્પન્ન થાય અને માતા દૂર હોય કે નજીક માત્ર નમન અને પ્રણામ કરી માતૃ વંદના દિવસની ઉજવણી થતી હોય એમ લાગી રહ્યું છે. જોકે દરેક જગ્યાએ આવું નથી રાજપીપળામાં માતાની મૂર્તિ બનાવી રોજ પુજવાવાળા દિવ્યકાંત પંડ્યા જેવા કેટલાક સપૂત હજી પણ છે પણ આ એક અપવાદ છે. આજે ઘરડા ઘર કે વડીલોનો વિસામો કહો કે મા -બાપનું મંદિર કહો આ નામથી બનેલા મકાનો કઈ એમજ નથી બની ગયા આપણે જ આ મકાનો બનાવી વડીલોને અંદર પૂર્યા છે. ખાસ કરીને વાત મધર- ડે કે ફાધર -ડે ઉજવવાની આવે ત્યારે આવા ધરડાં ઘર કે માં બાપના મંદિરમાં રહેતા વડીલોની આંખમાં જે જીજ્ઞાશા હોય કે મારો દીકરો કે મારી દીકરી આવશે. આમ તો વાર તહેવારે આવા મા-બાપ ઇચ્છતા હોય કે મારુ સંતાન આવે અને મને ફક્ત થોડાક દિવસ મહેમાન બનાવીને લઈ જાય…અરે આખી જિંદગી જીવની જેમ સાચવીને ઉછેર્યા એ સંતાન થોડાક દિવસ આ મા-બાપને મહેમાન તો બનાવે..પણ આશા કદાચ અધૂરી રહેતી હોય તેવા કિસ્સા પણ છે જ.

મા-બાપ ને સંતાન મહેમાનના બનાવે પણ સંતાન મહેમાન બનીને આવે એવું પણ આ માબાપ ઇચ્છતા હોય છે ત્યારે 14 મે 2023 એ ઉજવાયેલા માતૃવંદના દિવસે જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપળાના પ્રમુખ તેજશ ગાંધી અને તેમની ટિમ રાજપીપળામાં આવેલા માબાપના મંદિરે પહોંચી આ વડીલો માતાઓના મહેમાન બન્યા હતા. સાંજ ના સમયે જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપળાના સભ્યો એ માબાપના મંદિર,રાજેન્દ્રનગર સોસાયટી રાજપીપલા ખાતે રહેતા વડીલો અને માતાઓ સાથે વિતાવી તેમના આશીર્વાદ લીધા અને સાચા ભાવથી માતૃ વંદના કરી હતી, જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપળાનાં પ્રમુખ તેજશ ગાંધી, ફેડરેશન ઓફિસર દત્તા ગાંધી, મંત્રી જતીન મઢીવાળા, ખજાનચી હરિવદનભાઈ ગજ્જર, પૂર્વ પ્રમુખ રૂપલબેન દોશી, કૃતિબેન મઢીવાળા, ચેતનભાઈ દાસ, સ્વામી શરણ પટેલ, હિતેશાબેન પુરોહિત, મુકેશભાઈ ગાંધી એ હાજર રહી સાચા અર્થમાં માતૃ વંદના દિવસ ઉજવ્યો હતો.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

વડોદરા: કોરોના મટ્યા બાદ માથાના દુખાવા અને ખંજવાળથી કંટાળીને મહિલાએ આપઘાત કર્યો

ProudOfGujarat

ટવીટરમાંથી ઈલોન મસ્કે 50 % કર્મચારીઓને કર્યા છૂટા, જણાવ્યું આ કારણ.

ProudOfGujarat

લગ્નમાં નવા કપડાં ના પહેરનારા પણ આત્મહત્યા કરી શકે છે…જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!