Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં અગ્નિ તાંડવ : જીઆઈડીસી માં આવેલ નિરંજન લેબોરેટરી સળગી ઉઠતા દોડધામ

Share

ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ખાસ કરી ઔધોગિક એકમોમાં આગ લાગવાના બનાવો સતત સામે આવી રહ્યા છે, અંકલેશ્વર પંથકમાં આગ લાગવાની ઘટનાઓ હવે સામાન્ય બનતી જઈ રહી હોય તેમ કહેવાય રહ્યું છે, તેવામાં આજે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં વધુ એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી.

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એસીયન્ટ પેઇન્ટ ચોકડી પાસે આવેલ નિરંજન લેબોરેટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વાદળોમાં ધૂમડાના ગોટેગોટા નજરે પડ્યા હતા, જોકે ઘટના અંગેની જાણ અંકલેશ્વર ડીપીએમસી ના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના કર્મીઓએ તાત્કાલિક લાયબંબાઓ સાથે સ્થળ પર પહોંચી જઈ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

હાલ લેબોરેટરીમાં આગ ક્યા કારણોસર લાગી છે તે બાબત સ્પષ્ટ થઈ શકી નથી જોકે ભીષણ આગના પગલે મોટી નુકશાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, બીજી તરફ આગની સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસી ગુલબ્રાન્ડસન ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડની કંપની દ્વારા સીએસઆર હેઠળ કમ્પ્યુટર લેબ તથા પ્લાન્ટેશન કરાયુ.

ProudOfGujarat

અટલ બિહારી વાજપેયીની આજે 5 મી પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને PM મોદીએ ‘સદૈવ અટલ’ પર જઈને આપી શ્રદ્ધાંજલિ

ProudOfGujarat

ભરૂચનાં વડદલા ગામ પાસે ટેન્કરમાંથી કેમિકલ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!