Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં અગ્નિ તાંડવ : જીઆઈડીસી માં આવેલ નિરંજન લેબોરેટરી સળગી ઉઠતા દોડધામ

Share

ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ખાસ કરી ઔધોગિક એકમોમાં આગ લાગવાના બનાવો સતત સામે આવી રહ્યા છે, અંકલેશ્વર પંથકમાં આગ લાગવાની ઘટનાઓ હવે સામાન્ય બનતી જઈ રહી હોય તેમ કહેવાય રહ્યું છે, તેવામાં આજે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં વધુ એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી.

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એસીયન્ટ પેઇન્ટ ચોકડી પાસે આવેલ નિરંજન લેબોરેટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વાદળોમાં ધૂમડાના ગોટેગોટા નજરે પડ્યા હતા, જોકે ઘટના અંગેની જાણ અંકલેશ્વર ડીપીએમસી ના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના કર્મીઓએ તાત્કાલિક લાયબંબાઓ સાથે સ્થળ પર પહોંચી જઈ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

હાલ લેબોરેટરીમાં આગ ક્યા કારણોસર લાગી છે તે બાબત સ્પષ્ટ થઈ શકી નથી જોકે ભીષણ આગના પગલે મોટી નુકશાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, બીજી તરફ આગની સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

Share

Related posts

પરપ્રાંત અને રાજયનાં અન્ય જિલ્લામાં હીજરત કરી રહેલાં મજૂરોને વતનમાં પહોંચાડવા માટે સુરત એસ.ટી.વિભાગે બસો દોડાવી.

ProudOfGujarat

લીંબડીમાં શીતળા માતાજીનાં મંદિરે પૌરાણિક પરંપરા મુજબ ભરાતો લોકમેળો મોકૂફ રાખવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીમાં માછલી પકડવા ગયેલા રાજપારડીનાં યુવાનને મગર ખેંચી જતા તેની લાશ ત્રીજા દિવસે ઝઘડીયા પાસેથી મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!