Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં અગ્નિ તાંડવ : જીઆઈડીસી માં આવેલ નિરંજન લેબોરેટરી સળગી ઉઠતા દોડધામ

Share

ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ખાસ કરી ઔધોગિક એકમોમાં આગ લાગવાના બનાવો સતત સામે આવી રહ્યા છે, અંકલેશ્વર પંથકમાં આગ લાગવાની ઘટનાઓ હવે સામાન્ય બનતી જઈ રહી હોય તેમ કહેવાય રહ્યું છે, તેવામાં આજે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં વધુ એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી.

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એસીયન્ટ પેઇન્ટ ચોકડી પાસે આવેલ નિરંજન લેબોરેટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વાદળોમાં ધૂમડાના ગોટેગોટા નજરે પડ્યા હતા, જોકે ઘટના અંગેની જાણ અંકલેશ્વર ડીપીએમસી ના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના કર્મીઓએ તાત્કાલિક લાયબંબાઓ સાથે સ્થળ પર પહોંચી જઈ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

હાલ લેબોરેટરીમાં આગ ક્યા કારણોસર લાગી છે તે બાબત સ્પષ્ટ થઈ શકી નથી જોકે ભીષણ આગના પગલે મોટી નુકશાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, બીજી તરફ આગની સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : મહાદેવ નગર વિસ્તારમાં નશાનો વેપલો કરતા બુટલેગરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા ટૂંક સમયમાં હોલીવુડ સુપરસ્ટાર જેસન ડેરુલો સાથે કામ કરશે.

ProudOfGujarat

વાગરાના અંભેટા ખાતે આવેલ સ્ટર્લીંગ વિનાયલ એડિટીવ્ઝ પ્રા.લી કંપનીની ગંભીર બેદરકારી સામે જિલ્લા કલેકટરને અપાયું આવેદનપત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!