Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : સાબરિયા ગામના સુરેશ્વર મહાદેવ મંદિરે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરાઇ

Share

સાબરીયા ગામે સુરેશ્વર મહાદેવ મંદિરે મહંત અને ઉદાસીન અખાડાના સાધુ હરદેવ મુનિ મહારાજના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી નિમિત્તે સંત મિલાપ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી જ ભક્તો દેવદર્શન અને ગુરુ દર્શન માટે ઉમટી પડ્યા હતા. માંગરોળ ઉમરપાડા અને વાલીયા તાલુકાના ભાવિક ભક્તોએ દર્શન કરી મહંતના આશીર્વાદ લીધા હતા. રૂધા ગામના ભગુભાઈ ચૌધરી, વાડી ગામના સરપંચ ભુપેન્દ્રભાઈ વસાવા, વાંકલના નારણભાઈ પટેલ, અમિતભાઈ પટેલ ઝંખવાવના નિલેશભાઈ ખત્રી, મહેશભાઈ ખત્રી, દિલીપભાઈ ગામિત સહિતના ભક્તોએ ધાર્મિક પર્વનો લાભ લઈ ગુરુજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

Share

Related posts

સુરત યુથ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ગુજરાતમાં દિવાળીનાં તહેવારોમાં આટલા સમયમાં જ ફોડી શકાશે ફટાકડા.

ProudOfGujarat

હાર્દિક પંડ્યા ની સામે મહિલાઓની ભેદક વિરોધની બોલીંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!