Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૮ પાસે આવેલ વાલીયા ચોકડી પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

Share

અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આજ રોજ બપોરના ૨ થી ૩ નાં ગાળા દરમ્યાન અંકલેશ્વરથી વાલિયા તરફ જતા અને વાલિયાથી અંકલેશ્વર સીટી તરફ જતા રોડ પર બંને તરફ ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી હતી. આ વાહનની કતારો ૧ થી ૨ કિલોમીટર જેટલી લાંબી હતી. આ ટ્રાફિક જામ સર્જાવાની પાછળ વાલિયા ચોકડી પર આવેલ બ્રિજની નીચે ટ્રાફિક જવાનો અને બીટીઈટી નાં સ્ટાફના અભાવને કારણે અને સ્થળ પર હાજર ન હોવાથી ટ્રાફિક જામ થઇ જવા પામ્યો હતો.

ટ્રાફિકના સ્ટાફના અભાવને કારણે એક કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈ જવાથી વાહન ચાલકોએ જાતે જ ટ્રાફિક હટાવીને પોતાના વાહન કાઢી લીધા હતા. આ સમયે ટ્રાફિક સ્ટાફ અને બીટીઈટીનો સ્ટાફ સ્થળ પર ન હોવાથી વાહન ચાલકો અંદરો અંદર એક બીજા સાથે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા.

Advertisement

યોગી પટેલ


Share

Related posts

વ્હોરા પટેલ પ્રોગ્રેસિવ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી 75 પી.પી.ઇ. કીટો ભરૂચ નગરપાલિકાને આપવામાં આવી.

ProudOfGujarat

સાંસદ મનસુખ વસાવાએ રોયલ્ટી વિનાના ડમ્પર વિશેની કામગીરી પર પ્રશ્નોની ઝડી વરસાવતો વડોદરા કલેકટરને લખ્યો પત્ર.

ProudOfGujarat

વડોદરાના આનંદપુરા ખાતે ગામ વિકાસ સંઘ – ખાદી એમ્પોરિયમ દ્વારા ખાદીમાંથી ૨૦૦ કેસરિયા ટોપી તૈયાર કરી.

ProudOfGujarat
error: Content is protected !!