Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૮ પાસે આવેલ વાલીયા ચોકડી પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

Share

અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આજ રોજ બપોરના ૨ થી ૩ નાં ગાળા દરમ્યાન અંકલેશ્વરથી વાલિયા તરફ જતા અને વાલિયાથી અંકલેશ્વર સીટી તરફ જતા રોડ પર બંને તરફ ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી હતી. આ વાહનની કતારો ૧ થી ૨ કિલોમીટર જેટલી લાંબી હતી. આ ટ્રાફિક જામ સર્જાવાની પાછળ વાલિયા ચોકડી પર આવેલ બ્રિજની નીચે ટ્રાફિક જવાનો અને બીટીઈટી નાં સ્ટાફના અભાવને કારણે અને સ્થળ પર હાજર ન હોવાથી ટ્રાફિક જામ થઇ જવા પામ્યો હતો.

ટ્રાફિકના સ્ટાફના અભાવને કારણે એક કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈ જવાથી વાહન ચાલકોએ જાતે જ ટ્રાફિક હટાવીને પોતાના વાહન કાઢી લીધા હતા. આ સમયે ટ્રાફિક સ્ટાફ અને બીટીઈટીનો સ્ટાફ સ્થળ પર ન હોવાથી વાહન ચાલકો અંદરો અંદર એક બીજા સાથે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા.

Advertisement

યોગી પટેલ


Share

Related posts

ISRO એ નેવિગેશન સેટેલાઇટ NVS-01 લોન્ચ કર્યું

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપલા રેલ્વેલાઇન પર સ્ટેશન ઉધોગનગર વચ્ચેની ફાટક તા.૧૮ થી ‍૧૯ બંધ રહેશે.

ProudOfGujarat

વાલિયા વિભાગની સહકારી ક્ષેત્રની ચૂંટણીઓના વિલંબમાં અમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારતા સંદીપ માંગરોલા.

ProudOfGujarat
error: Content is protected !!