Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના 30 યાત્રાળુઓ ફસાયા, સરકાર પાસે માંગી મદદ

Share

અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના 30 યાત્રાળુઓ ફયાસા, સુરતના 10 લોકો અને વડોદરાના 20 લોકો છે. ફસાયેલા લોકો દ્વારા ગુજરાત સરકાર પાસેથી મદદની માગ કરવામાં આવી રહી છે.

છેલ્લા ત્રણ દિવસથી તમામ યાત્રાળુઓ ફસાયા છે. તેઓ કડકડતી ઠંડી અને વરસાદી માહોલ વચ્ચે બિમાર પડી રહ્યા છે. ગરમ ચીજવસ્તુઓ જ ખાવી પડે તેવી સ્થિતિ છે ત્યારે ગરમ વસ્તુઓ ખાવા માટે ડબલ રુપિયા પણ તેમને ચૂકવવા પડી રહ્યા છે.

અમરનાથ ગુફાથી 6 કિમી દૂર પંચતરણીમાં ગુજરાતીઓની ફસાવાની ઘટના બની છે. આજે આ ત્રીજો દિવસ છે. જ્યાં તેઓ અત્યારે ટેન્ટમાં રહી રહ્યા છે પરંતુ સતત ત્રણ દિવસથી પડેલા વરસાદના કારણે ટેન્ટ ભીના થયા છે અને ગાદલા તેમજ કપડા પણ ભીના થઈ ગયા છે. નીચે ઉતરવાની મનાઈ છે અને આગળ રસ્તો બંધ છે ત્યારે આ સ્થિતિ વચ્ચે ગુજરાતીઓ ત્યાં સમય વ્યતિત કરી રહ્યા છે.

Advertisement

અમરનાથ યાત્રા દરમિયાન ત્યાં ફસાયેલા લોકો દ્વારા ગુજરાત સરકાર પાસેથી મદદની માગ કરવામાં આવી રહી છે. ફસાયેલા 30 લોકોમાંથી અમરનાથ યાત્રામાં એક 13 વર્ષની કિશોરી પણ સામેલ છે. રસ્તો શરુ થયા બાદ સૂચન આપવામાં આવી શકે છે. ત્યાંના લોકોનું કહેવું છે કે, જલદીથી જ રેસ્ક્યુ કરવામાં આવે તેવું લોકો કહી રહ્યા છે. સતત ત્યાં બરફ પડી રહ્યો છે ત્યાં રાત્રિ દરમિયાન માઈનસમાં તાપમાન થઈ જાય છે ત્યારે ઠંડીમાં ત્યાં ફસાયેલા લોકોને ખૂબ મોટી મુશ્કેલીઓ પડી રહી છે.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વનું વાતાવરણ જામ્યું: ઠેર ઠેર બટાકા અને શક્કરીયાના હંગામી બજારો

ProudOfGujarat

ભરૂચ શહેરના જીઆઇડીસીમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા 10 મું ભગવાન જગન્નાથજી રથયાત્રા ઉત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે…

ProudOfGujarat

વડોદરા : ડભોઇનાં વૈષ્ણવ પાર્કમાં પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓએ કર્યુ વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!