Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નંદેલાવ ગામ ખાતે વૃક્ષારોપણ કરાયું

Share

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, નંદેલાવ ગ્રામ પંચાયત અને ભરૂચ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન નંદેલાવ ગામ ખાતે કરવામાં આવ્યું હતું.

ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સક્રિય સભ્ય અને નંદેલાવ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ પ્રકાશભાઈ મેકવાન અને પી.આર.ઓ. જગદીશ સેડાલાના પ્રયાસથી પર્યાવરણ જાળવણીના હેતુથી ભરૂચ તાલુકાના નંદેલાવ ગ્રામ પંચાયત પાસેના આવેલ તળાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.

વૃક્ષારોપણ કાર્યક્રમમાં નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ઉપસરપંચ પ્રકાશભાઇ મેકવાન, તાલુકા પંચાયત સભ્ય ભૂમિકા બેન,પૂર્વ તાલુકા પંચાયત સભ્ય ઇન્દ્રજીત વાંછની, પૂર્વ સરપંચ રતિલાલ ભાઈ ચૌહાણ, રહાડપોરના આગેવાન ફરીદ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો, ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જયશીલભાઈ પટેલ, અન્ય હોદ્દેદારો-સભ્યો સામાજિક આગેવાનો વન વિભાગના અધિકારી ગોહિલ, વન વિભાગ કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહી ગામ તળાવની પાળે વૃક્ષારોપણ કરી તેની જાળવણી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

મોટા સોરવા ગામની શાળામાં ઉજાસભણી કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ProudOfGujarat

HOMEOSTASIS -2023 સ્પર્ધામાં મોરબીની GMERS કોલેજનો ડંકો, રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું

ProudOfGujarat

શ્રી વિશ્વકર્મા જયંતિની ભરૂચમાં ઉજવણી: શાંતિ યજ્ઞ, શોભાયાત્રા, આરતી, મહાપ્રસાદીનું વિશેષ આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!