Proud of Gujarat
FeaturedGujaratINDIA

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં UCC નાં વિરોધ સાથે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

Share

સમાન સિવિલ કોડના વિરોધમાં ભિલોડા મામલતદાર કચેરીએ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજના ભાઈઓ -બહેનો તેમજ રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ અને આદિવાસી સમાજના તમામ સંગઠનો દ્વારા યુનિફોર્મ સિવિલકોડ (UCC) સમાન નાગરીક સંહિતાનો કાયદો અગર બનશે તો ભારતમાં સમાન નાગરીક સંહિતાનો સમાજને ભારતીય બંધારણ પ્રમાણે રૂઢિગત, પરંપરાગત, રીતરિવાજોનું અધિકારોનું નુકસાન થાય તેવું લાગી રહયું છે. તો સમાન સિવિલ કોડ કાયદો લાગું ન થાય તેવી સરકારને માંગણી કરવામાં આવી.

ખોટી રીતે આદિવાસી પ્રમાણપત્રનો લાભ લેતા હોય તેવા લોકોને બહાર કાઢવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. આદિવાસી સમાજને ડર છે કે, જો સમાન સિવિલ કોડ એટલે કે, યુસીસી આવે તો તેમના રીત-રિવાજો, રૂઢીઓ, પરંપરાઓ વગેરે દૂર થઈ શકે છે, તેમને મળતા લાભ અને હક પણ નાબૂદ થઈ શકે એમ છે, જેને લઇને આદિવાસી સમાજ દ્વારા યુસીસીનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા મોડાસા ખાતે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ત્યારે ફરીથી મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ.

Advertisement

Share

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષકદિન અવસરે ગુરુજનો પ્રત્યે ઋણ અદા કરતાં શિક્ષક કલ્યાણનિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો

ProudOfGujarat

ભરૂચ: શ્રી અંબિકાનગર ઉત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા અંબાજી માતા તથા શિવસાઈ મંદિરના પાટોત્સવ નિમિતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચના શખ્સ સાથે મોબાઇલ સિમ ડિએક્ટિવેશનના નામે બંધ કરાવી ખાતામાંથી 15.65 લાખની ઠગાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!