Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટના ધોરાજીમાં તાજીયા ઉપાડતા સમયે 15 લોકોને કરંટ લાગ્યો, બે ના મોત

Share

રાજકોટનાં ધોરાજીના રસલપુરામાં તાજીયા દરમિયાન 15 જેટલા લોકોને વીજ કરંટ લાગતાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં 3 થી 4 જેટલા લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તે ઉપરાંત બે લોકોના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ અંગેની જાણ થતાં જ હોસ્પિટલની બહાર લોકોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા હતા. હાલ હોસ્પિટલ ખાતે તમામની સારવાર ચાલી રહી છે. આ બનાવને પગલે આખા શહેરમાં ચકચાર મચી ગઈ છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ધોરાજીના રસુલપરા વિસ્તારમાં મોહરમના તાજિયાને ઉપાડતી વખતે એક ટોળાને કરંટ લાગ્યો છે. PGVCL ની વીજ લાઈનમાં તાજીયા અડી જતાં આ ઘટના બની હતી. 15 જેટલા લોકોને આ કરંટ લાગ્યો છે. જેમાંથી ચાર લોકો ગંભીર ઇજાગ્રસ્ત છે. આ ઇજાગ્રસ્તોને ધોરાજીની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને કારણે આખા શહેરમાં ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

છેલ્લા દોઢ વર્ષથી વિદેશી દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ.

ProudOfGujarat

 છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં પોષણ માસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. 

ProudOfGujarat

લગ્ન બાદ દંપતિ હનિમૂન ગયું, પિતા પાસેથી દહેજ લાવવા દબાણ કરી પત્નીને ત્રાસ આપ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!