Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલમાં અધિક શ્રાવણ માસ અગિયારસ નિમિત્તે વિષ્ણુ ભગવાનને 1008 મંત્ર જાપ કરી તુલસી પત્ર અર્પણ કરાયા

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે અધિક શ્રાવણ માસ શુક્લપક્ષ અગિયારસ નિમિત્તે ભક્તોએ વિષ્ણુ ભગવાનને 1008 મંત્ર જાપ કરી તુલસી પત્ર અર્પણ કરાયા હતા.

અધિક શ્રાવણ માસમાં ભગવાન વિષ્ણુજીની પૂજાનું અનેરૂ મહત્વ હોવાથી ભક્તો શ્રદ્ધા આસ્થા અને ભક્તિ ભાવથી પવિત્ર માસમાં પૂજા અર્ચના કરી રહ્યા છે. વાંકલ ગામે આવેલ સાંઈ મંદિર ખાતે ગોર મહારાજ રાકેશભાઈ પંડ્યાના સાનિધ્યમાં વાંકલ ગામના ગાયત્રી મહિલા મંડળની મહિલા ભક્તોએ વિષ્ણુ ભગવાનના 1008 મંત્ર જાપ કરી તુલસી પત્ર અર્પણ કરી ધાર્મિક પૂજા અર્ચનાનો લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી માટે ખેડૂતોને ખેતી નિયામક દ્વારા સૂચનો કરાયા

ProudOfGujarat

રાજપીપળા જિલ્લા જેલ ખાતે ક્રાંતિકારી બિરસામુંડાની જન્મ જ્યંતી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં એક ઇસમનો મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!