Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની આમલાખાડી પર બુલેટ ટ્રેનનાં કોન્ટ્રાક્ટરો દ્વારા પાઇપો નાંખી પાણીને અવરોધ રૂપ રસ્તો બનાવતા પ્રજાને હાલાકી

Share

આમલાખાડી પર બુલેટ ટ્રેન વિભાગ દ્વારા ફરી એક વખત પાઇપો નાખી બનાવવામાં આવેલ હંગામી રસ્તો આમલાખાડીનાં વહી રહેલ પાણી માટે અવરોધ રૂપ બની રહ્યો છે. આ અગાઉ પણ આ રસ્તાનાં લીધે વર્ષા ઋતુમાં ધોધમાર વરસાદ આવતા પિરામણ ગામ અને અંક્લેશ્વર શહેરની પ્રજાને આમલાખાડીનાં ઓવરફ્લોનાં કારણે રસ્તાઓ બંધ થતાં હાલાકીનો સામનો કરવો પડયો છે.

પિરામણનાં રહીશ સલીમ પટેલે જણાવ્યું હતું કે ” વારંવાર આમલાખાડી ઓવરફલો થવાના કારણે રસ્તાઓ બંધ થઇ જાય છે. આ સીઝનમાં ઓછા વરસાદમાં પણ પિરામણ ગામનો રસ્તો અનેક વખત બંધ થઈ ગયો હતો. હાલ ઓ એન જી સી બ્રિજ બંધ હોવાથી જી આઇ ડી સી તરફ અવરજવરના માટે બાકી રહેલ એક માત્ર રસ્તો બંધ થવાથી પ્રજા ભારે હાલાકીનો સામનો કરી રહેલ છે. આ બાબતે અમોએ મામલતદાર સાહેબ અંક્લેશ્વરને જૂન મહિનામાં જાણકારી આપી હતી, સાહેબે ચોમાસા પેહલા પાઇપો દૂર કરાવવાની સૂચનાઓ આપી હતી પણ તે દૂર કરવામાં આવી નથી. ભારે વરસાદમાં આ હંગામી બનાવેલ રસ્તા ઉપરથી પાણી જવાથી માટી ધોવાઈને ખાડીમાં જવાથી ખાડીમાં પુરાણ થઈ રહ્યું છે. રેલવે વિભાગને કામની ઉતાવળ છે તો એ ત્યાં સ્લેબ ડ્રેન પુલ બનાવી કાર્યવાહી કરી શકે છે જેથી પાણીને અવરોધ નહી થાય. પાઈપ નાખી રસ્તો બનાવવાથી પાણીને અવરોધ થઈ રહ્યો છે. ઇજારદાર પ્રજાને પડી રહેલ હાલાકીથી અજાણ હોઈ શકે પરંતુ તંત્ર આ બાબતે કેમ મૌન રહી શકે?

Advertisement

Share

Related posts

લીંબડી એસ.ટી. ડેપોએ 15 જેટલી બસના રૂટ બે દિવસ માટે બંધ કર્યા

ProudOfGujarat

સજ્જાદ ડેલાફ્રોઝ અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ પુષ્પા 2 માં જોવા મળશે?

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ધૂળ ખાતા વેન્ટિલેટર આખરે ખાનગી હોસ્પિટલમાં મોકલાતા હોવાના અહેવાલો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!