Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : ઓલપાડના સાયણમાં શ્રમજીવી એ ઝેરી દવા પી જતા મોત નીપજયું

Share

ઓલપાડ તાલુકાના સાયણ ટાઉનમાં ખેતરની બંગલીમાં રહેતો એક મહારાષ્ટ્રીયન શ્રમજીવી શેરડીમાં જીવાત મારવાની ઝેરી દવા પી જતા તેનું ઘટના સ્થળે મોત થયું છે.

વિગત મુજબ સાયણ રહેતા ખેડૂત મનોજભાઈ દલપતભાઈ પટેલે કાળીયા વગામાં આવેલ ખેતરમાં શેરડી વાવેતરનું વાવેતર કરેલ છે. આ ખેતરની બંગલીમાં મુળ મહારાષ્ટ્ર રાજ્યનાં નંદરબાર જિલ્લાનો શ્રમજીવી સુદામ દગા બીરાર(ઉ.વ.૫૪) રહેતો હતો અને ત્યાં ખેતમજુરી કરતો હતો. સુદામ બીરાર બંગલીમાં એકલો હતો, ત્યારે ગત મંગળવાર,તા.૨૯/૦૮/૨૦૨૩ નાં રોજ સાંજે-૬:૩૦ થી બીજા દિવસની સવારે-૭ઃ૩૦ કલાકના સમયગાળા દરમ્યાન કોઈ અગમ્ય કારણસર શેરડીમાં જીવાત મારવાની ઝેરી દવા પી જતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું.

Advertisement

આ બાબતની જાણ મૃતકના પુત્ર ગોરખ બીરારને થતાં તેણે ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરી હતી જેના પગલે પોલીસે લાશનો કબજાે લઈ સાયણ ખાતેના સરકારી દવાખાનામાં લાશનું પીએમ કરાવ્યું હતું. પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ એહકો સંતોષ મંગુ કરી રહ્યા છે.

આસ્તિક પટેલ


Share

Related posts

સુરત જીલ્લાના ઉમરપાડા માંગરોળ ખાતે ત્રિવિધ કાર્યકમો યોજાયો.ઉમરપાડા માં 750જેટલાં વિદ્યાર્થીઓ, માંગરોળ ના વાંકલ ખાતે 1100થી વધુ વિદ્યાર્થી આદિજાતિ વિભાગની હોસ્ટેલમાં અભ્યાસ કરે છે.

ProudOfGujarat

વાંકલ : ભારતીય ટ્રાયબલ પાર્ટી અને ભીલીસ્તાન સેનાએ મહેસુલ – ઘર વેરો, લાઈટબીલ માફ કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી.

ProudOfGujarat

ગરમીનો પ્રકોપ – ભરૂચમાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચતા જીલ્લાવાસીઓના પરસેવા છૂટ્યા, ગરમ પવન અને તડકાના પ્રકોપથી બચવા મજબુર બન્યા લોકો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!