Proud of Gujarat
FeaturedGujaratINDIA

સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ હસ્તકની તમામ રેન્જ દ્વારા પશુઓ માટે ઘાસચારો એકઠો કરી પૂરઅસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડાયો

Share

સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ હસ્તકની તમામ રેન્જ મુંગા પશુઓની વહારે આવી પૂર અસરગ્રસ્ત ગામડાઓમાં ઘાસચારો પહોંચાડ્યો હતો. જનજીવન ખોરવાતા પશુઓના ઘાસચારા માટે પડતી જરૂરિયાતોને પૂરી કરવા સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ દ્વારા ઘાસ વિતરણ કામગીરી કરવામાં આવી હતી.

પશુઓ માટે ઘાસચારો એકઠો કરી જરૂરિયાત મુજબના પૂર અસરગ્રસ્ત ગામડાઓમાં પહોંચાડી મુંગા પશુઓની વહારે આવી મુંગા પશુઓ માટે સરાહનીય કામગીરી કરી હતી. ભરૂચ જિલ્લાની સામાજિક વનીકરણ વિભાગના વાલીયા, ઝઘડિયા, અંકલેશ્વર, ભરૂચ, વાગરા, આમોદ જંબુસરના સામાજિક વનીકરણ વિભાગના કર્મચારીઓઆ કામગીરીમાં જોડાયા હતા.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણના કલા શરીફ ખાતે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલ વકફ કમિટી દ્વારા કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

અંકલેશ્વર પાલિકાના સિક્યુરિટી સ્ટાફને લઘુત્તમ વેતન મળતું નથી. મીનીમમ વેજીસથી અડધું વેતન ચૂકવાતા આક્રોશ.

ProudOfGujarat

સફાઈ અભિયાનમાં યોગદાન આપવા બદલ શ્રેષ્ઠ સફાઈ કામદાર અને શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓનું સન્માન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!