Proud of Gujarat
FeaturedGujaratINDIA

સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ હસ્તકની તમામ રેન્જ દ્વારા પશુઓ માટે ઘાસચારો એકઠો કરી પૂરઅસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડાયો

Share

સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ હસ્તકની તમામ રેન્જ મુંગા પશુઓની વહારે આવી પૂર અસરગ્રસ્ત ગામડાઓમાં ઘાસચારો પહોંચાડ્યો હતો. જનજીવન ખોરવાતા પશુઓના ઘાસચારા માટે પડતી જરૂરિયાતોને પૂરી કરવા સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ દ્વારા ઘાસ વિતરણ કામગીરી કરવામાં આવી હતી.

પશુઓ માટે ઘાસચારો એકઠો કરી જરૂરિયાત મુજબના પૂર અસરગ્રસ્ત ગામડાઓમાં પહોંચાડી મુંગા પશુઓની વહારે આવી મુંગા પશુઓ માટે સરાહનીય કામગીરી કરી હતી. ભરૂચ જિલ્લાની સામાજિક વનીકરણ વિભાગના વાલીયા, ઝઘડિયા, અંકલેશ્વર, ભરૂચ, વાગરા, આમોદ જંબુસરના સામાજિક વનીકરણ વિભાગના કર્મચારીઓઆ કામગીરીમાં જોડાયા હતા.

Advertisement

Share

Related posts

રાજ્ય સરકારના વર્ગ -૪ ના કર્મચારીઓને દિવાળી બોનસ આપવા અંગેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો

ProudOfGujarat

ઉમરપાડામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત યોગ ટ્રેનર તાલીમ શિબિર યોજાઇ.

ProudOfGujarat

નર્મદા-સરદાર સરોવર ડેમની સપાટીમાં સામાન્ય વધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!