Proud of Gujarat
FeaturedGujaratINDIA

માય લિવેબલ ભરૂચ અંતર્ગત કામ કરતાં સફાઈ કામદારોના પગાર ન ચૂકવાતા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

Share

ભરૂચમાં માય લિવેબલ ભરૂચ અંતર્ગત ભરૂચ શહેરને સુંદર બનાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે પરંતુ ભરુચને સુંદર બનાવવામાં જે સફાઈ કામદારો કામ કરે છે તેઓને પગાર મળ્યો નથી તેથી સફાઈ કામદારોએ ભરૂચના રાજૂ પંડિત, સેજલ દેસાઇ અને અન્ય આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવ્યુ હતું.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ માય લિવેબલ ભરૂચ અભિયાનમાં સફાઈ કર્મચારી તરીકે જોડાયેલા કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. 100 થી વધુ સફાઈ કામદારો માય લિવેબલ ભરૂચ અંતર્ગત સફાઈ કામમાં જોડાયેલા છે ત્યારે પગાર ન મળતા હવે આ કામદારોના કુતુબો ભીષણ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. કર્મચારીઓએ સુપરવાઇઝર વિશાલ તેમજ ચિંતન અને કોન્ટ્રાકટર રિષભ માથુરને ફોન કરી જાણ કરી હતી. ત્યારે નીશી નામની મહિલાએ જણાવ્યુ હતું કે પેમેન્ટ આવશે એટલે ચૂકવી દઇશું. આમ આ સફાઈ કામદારોએ આવેદનપત્ર પાઠવી પોતાની વ્યથા વ્યકત કરી હતી અને પગાર થાય તે અંગે વિનંતી કરી હતી.

Advertisement

Share

Related posts

સપ્તાહ પહેલાં થયેલાં ઝઘડાની રીસ રાખી યુવાન પર હુમલો

ProudOfGujarat

લીંબડી તાલુકાના ભથાણ ગામે એક સાથે 20 થી વધુ કમળાના કેસ સામે આવતાં તંત્ર દોડતું થયું.

ProudOfGujarat

સુરત : વેડરોડ ખાતે સૂર્યા મરાઠીની ઓફિસમાં આજે સાતેક જેટલા અજાણ્યા ઈસમો આવીને સૂર્યા મરાઠીને ચપ્પુના ધા ઝીકી હત્યા કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!