Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરાનાં ઓચ્છણ-પહાજ નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત

Share

વાગરા તાલુકામાં આવેલ પહાજ રોડ ઉપર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજવા પામેલ છે. જ્યારે અન્ય એકને સારવાર માટે ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ વાગરાના ઓચ્છણ અને પહાજ રોડ ઉપર સાંજના સમયે જી.જે 16 બી. કે 8489 નંબરની આઇ ટ્વેન્ટી કાર સુનીલ સિંહ રણજીત દરબાર જેઓ વાગરાથી ઓચ્છણ પોતાના ઘરે જઈ રહ્યો હતો.તે દરમિયાન મેલા ભાઈ છગન ભાઈ રાવળ અને તમને દીકરો અક્ષય મેલા ભાઈ રાવળ મૂલેર ગામથી નિત્યક્રમ મુજબ કડિયા કામ કરી મોટરસાઇકલ લઈ પોતાના ગામ પહાજ ખાતે આવી રહ્યા હતા. તે વેળા પહાજ અને ઓચ્છણ ગામ વચ્ચે સુનીલ સિહે બાપ દીકરાને કારથી અડફેટે લેતાં પુત્રની આંખોની સામેજ પિતાનું ઘટના સ્થળે જ કમમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે દીકરાને ગંભીર ઈજાઓના પગલે ૧૦૮ મારફતે સારવાર અર્થે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત કરી કાર ચાલક સુનીલસિંહ કાર સ્થળ પર છોડી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બનાવ સંદર્ભે વાગરા પોલીસે બંને વાહનોનો કબજો લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નઈમ દિવાન-વાગરા

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજરોજ 14 કોરોના પોઝિટીવ કેસ આવતા કુલ સંખ્યા 1004 થઈ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં નબીપુર પોલીસ મથકમાં કોરોના મહામારી સંદર્ભે બેઠક યોજાઇ હતી.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા શહેરમાં આવેલી એકલવ્ય વિદ્યાલય શાળા પરીવાર તરફથી મુખ્ય મંત્રી રાહત ફંડમાં ફાળો આપ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!