Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં વોર્ડ નં ૨ માં આવેલ ડુંગરી વિસ્તારમાં નવી પાણીની ટાંકીના કામનું ખાતમુર્હૂત કરાયુ

Share

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ડુંગરી સ્થિત પાણીની ટાંકી ત્રણ વર્ષ પેહલા ધારાશાઇ થઈ હતી. નગરપાલિકા વિપક્ષના સભ્યો દ્વારા નવી પાણીની ટાંકી બનાવવા માટે વારંવાર અસરકારક રજૂઆતો કરવામાં આવી હતી. વિપક્ષની સક્રિયતાને પગલે લોકોને પડતી પાણીની સમસ્યાનો અંત આવશે.

રાજ્ય સરકાર દ્ધારા ડુંગરી વિસ્તારમાં 2.19 કરોડના ખર્ચે નવી પાણીની ટાંકી બનાવવા માટેના કામનું ખાતમુહૂર્ત આજરોજ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી હસ્તે કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે નગરપાલિકા પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષ નેતા સમશાદ અલી સૈયદ, પાણી વિભાગના ચેરમેન ભીખીબેન જાદવ, નગરપાલિકા સભ્યો ઈબ્રાહીમ કલકલ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ફેઝિયાબેન શેખ, મુમતાઝબેન પટેલ, ટીનેશ મિસ્ત્રી તેમજ સ્થાનિક આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

નવી પાણીની ટાંકી માટે વિપક્ષના સભ્યોની રજુઆતને ધ્યાને લઇ ટાંકી મંજૂરી મેળવવા તેમજ રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટની પ્રક્રિયામાં ભરૂચના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ, ગત ટર્મના પ્રમુખ, ચીફ ઓફિસર, અને જેમણે ખુબ અસરકારક ફરજ બજાવી એવા પાણી વિભાગના પૂર્વ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ વૉટર વિભાગના અધિકારીઓના હકારાત્મક અભિગમને પગલે પાણીની સમસ્યામાંથી નગરના નાગરિકોને છુટકારો મળશે.

આ તબક્કે વિપક્ષ નેતા સમશાદ અલી સૈયદ અને નગર સેવક ઇબ્રાહિમભાઈ કલકલ એ જણાવ્યુ હતુ કે ડુંગરી વિસ્તારમાં નવી ટાંકી બનવાથી શહેરીજનોને પાણીની આપદામાંથી છુટકારો મળશે અને આ ટાંકી બનાવવાની કામગીરી દરમિયાન નગરપાલિકાના અધિકારી દ્વારા નિયમિત નિરીક્ષણ કરવામાં આવે અને સમયમર્યાદા કરતા વહેલા બને અને લોકોની સુખાકારીમાં વધારો કરે એવી અપીલ કરી હતી.

Advertisement

Share

Related posts

‘મારી માટી મારો દેશ’ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના ૫૪૫ ગ્રામપંચાયતમાં ઉજવણી કરાઈ

ProudOfGujarat

અસત્ય પર સત્યના વિજયનું પર્વ એટલે દશેરા, જાણો શું છે ઈતિહાસ

ProudOfGujarat

ડોલવનના બેડચિત ગામે થી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરમાં હાથપગ ધોવા ગયેલ ચાર યુવાનો પૈકી ત્રણ યુવકો નહેરમાં તણાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!