Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર ફરિયાદનો મામલો, ન્યાય નહીં મળે તો આદિવાસીઓ રસ્તા પર આવશે : શેરખાન પઠાણ

Share

ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે સરકારી અધિકારીઓ ઉપર હુમલો કરવા અને અભદ્ર વ્યવહાર કરવા બદલ તાજેતરમાં જ ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ફરિયાદ બાદ ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે, તો બીજી તરફ મામલે રાજકારણ પણ ગરમાયું છે.

તેવામાં કોંગ્રેસના લોકસભામાં પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાણ ડેડીયાપાડા ખાતે ચૈતર વસાવામાં સમર્થનમાં પહોંચ્યા હતા અને જે ખેતર મામલે આખો ઘટનાક્રમ સર્જાયો હતો તે ખેતરની સ્થળ મુલાકાત કરી હતી તેમજ મામલે આપના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર રાજકીય કિન્નાખોરી રાખી ફરિયાદ થઈ હોવાના આક્ષેપ કર્યા હતા.

Advertisement

સાથે સાથે શેરખાન પઠાણ દ્વારા મામલે ચીમકી ઉચ્ચાર વામાં આવી હતી કે જો આગામી દિવસોમાં ચૈતર વસાવાને ન્યાય નહીં મળે તો ઉંમરગામથી અંબાજી સુધીના આદિવાસીઓ રસ્તા પર ઉતરશે અને ન્યાયની માંગ કરશે તેમ જણાવ્યું હતું.


Share

Related posts

વડોદરાના કારેલીબાગમાં ચાણક્ય કોમ્પ્લેક્ષમાં પાંચ દુકાનોના તાળા તૂટ્યા, તસ્કરો CCTV માં કેદ

ProudOfGujarat

ભરૂચના કિશનાડ ગામમાં ઇકો ગાડીની અડફેટે એક કિશોરીનું સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

અંકલેશ્વર સરકાર ગ્રુપ દ્વારા મોક્ષ નગરી કાશી વિશ્વનાથ ની ઝાંખી ઉભી કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!