Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના નાંદ ગામમાં દીપડા એ પાડાનું મારણ કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ.

Share

ભરૂચના નાંદ ગામમાં દીપડો વારંવાર દેખા દેતા ગ્રામ પંચાયતના સરપંચે ફોરેસ્ટ અધિકારી સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી દીપડો પકડવાની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

આ લેખીત આવેદનપત્રમાં નાંદ ગામના સરપંચ રતિલાલ વસાવા એ જણાવ્યું છે કે ગામમાં અવારનવાર દીપડો દેખા દે છે. ગામમાં આવેલ સત્યનારાયણ મંદિર પાસે તાજેતરમાં એક પશુ માલિકનો પાડો બાંધેલો હોય રાત્રિના સમયે દીપડાએ ગામમાં પ્રવેશી આ પાડાનું મારણ કર્યું હતું. અવારનવાર ગામમાં દીપડો દેખા દેતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છવાયો છે. દીપડાના આતંકના કારણે ગ્રામજનો પોતાના ઘરથી બહાર નીકળવામાં પણ ભય અનુભવી રહ્યા છે તો વહેલી તકે દીપડાને પકડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવે તેવી રજૂઆત ફોરેસ્ટ અધિકારીને કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ-મનુબર ચોકડી વિસ્તારમાં ડમ્પર ટ્રકમાં આગ લાગી…

ProudOfGujarat

અંકલેશ્વર: સુરુચિ હોટલમા ખાવાની સબ્જીમાં જીવ-જંતુ નીકળતા ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી…

ProudOfGujarat

મનરેગા કૌભાંડની તપાસ : કામો થયાના પ્રપંચમાં પંચનામામાં સહિં કરનારા પંચોના નિવેદનો લેવાયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!