Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર તાલુકાના મોરકંડા ગામમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પેવર બ્લોકના વિકાસ કામનું ખાતમુહર્ત કરાયું

Share

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે મોરકંડા ગામમાં પેવરબ્લોકના વિકાસ કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના સંસદ સભ્યશ્રી રામભાઈ મોકરીયાની ગ્રાન્ટમાંથી જામનગર તાલુકામાં આવેલા મોરકંડા ગામમાં સિદ્ધનાથ મહાદેવ મંદિર અને સ્મશાન ગૃહની આસપાસ રૂ.5 લાખના ખર્ચે નવા પેવરબ્લોક મુકવામાં આવશે.

કેબિનેટ મંત્રીના હસ્તે પેવરબ્લોકના વિકાસકાર્યનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. તેમજ મંત્રીએ ગ્રામસભા ભરી હતી, અને ગ્રામજનોની સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં, આગેવાન મુકુંદભાઈ સભાયા, દિનેશભાઈ પરમાર, મનજીભાઈ કટેશીયા, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહયા હતા.

Advertisement

Share

Related posts

અમરેલી : સાવરકુંડલા તાલુકાના લુવારા ગામની મધ્યમાં રાત્રિ દરમિયાન સિંહ પરિવાર આંટા મારતા સી.સી.ટી.વી કેમેરામાં કેદ થયા.

ProudOfGujarat

અંકલેશ્વર ભડકોદ્રાનાં નોબલ માર્કેટમાં આજરોજ જીઆઇડીસી પોલીસે ભંગારના ગોડાઉનમાંથી એલ્યુમિનિયમ ધાતુની બનાવટની પાટો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદાના ભાદરવાદેવ ખાતે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્તિકી પૂનમનો ભાતીગળ મેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!