Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની વેકલ્પિક રોજગારી માટે અલિયાબેટ ની જે જમીનો ફાળવણી માટેની દરખાસ્ત માટે ભરૂચ કલેક્ટર ને આવેદનપત્ર આપવા આવ્યું

Share

ભરૂચ.

ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની વેકલ્પિક રોજગારી માટે અલિયાબેટ ની જે જમીનો ફાળવણી માટેની દરખાસ્ત માટે ભરૂચ કલેક્ટર ને આવેદનપત્ર આપવા આવ્યું

Advertisement

હજારો અસરગ્રસ્ત માછીમાર પરિવારોની અવગણના કરીને તેજ જમીનો કચ્છ-ગાંધીધામની બે કંપનીને ફારવણી કરી દેવાની એકતરફી હકારાત્મક કાર્યવાહી થઈ રહેલી છે.

તેનાથી નારાજ સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ ત રફથી ભાડભૂત બેરેજ સામે સ્થગિત કરેલું આંદોલન શરૂ કર્યું છે અને જ્યાં સુધી અસરગ્રસ્ત માછીમાર સમાજ માટે અલિયાબેટની જમીનોની ફારવણી કરવામાં નહિ આવે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે.

નર્મદા નદીની એસ્ચ્યુરીમાં માછલીઓના બ્રિડીગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ વિસતાર પર ચાલી રહેલા ભાડભૂત બેરેજના કામથી માછીમારોને રોજગારીનું મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહેલુ છે અને તે નુકશાન અટકાવવું જરૂરી છે અને માછીમારોને થઈ રહેલા નુકશાનની ભરપાઈ કરવી જરૂરી છે.

જેથી કરીને નર્મદા નદીની એસ્ચ્યુરીમાં માછલીઓન બ્રિડીગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિઁન્ડ વાલા વિસ્તારમાં ચાલી રહેલુ ભાડભૂત બેરેજનુ કામ અટકાવી બંધ કરવું જરૂરી થઈ ગયું છે, જો કામ બંધ કરવામાં નહિ આવે તે માટે હજારો માછીમાર પરિવારોને ભીખ માંગવાનો વાળો આવે તેમ છે.જેને લઈને આજ રોજ માછીમાર સમાજ દ્વારા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું


Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજે કોરોના પોઝિટિવ દર્દીઓ 15 થતાં કુલ આંકડો 367 થયો જ્યારે એક યુવાનનું મોત થયું હતું.

ProudOfGujarat

ભરૂચનાં નેત્રંગ તાલુકાનાં મોવી રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે કાર ખાઈમાં ખાબકતા 5 લોકોનાં કરુણ મોત નીપજયાં.

ProudOfGujarat

નાતાલ પર્વ નિમિત્તે પ્રેમ અને શાંતિના સંદેશ પ્રચારાર્થે ધાર્મિક યાત્રા : લોકો ઉત્સાહપૂર્વક જોડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!