ભરૂચ
ભરૂચ તાલુકામાં આવેલાં એક ગામમાં રહેતી વૃદ્ધાની પુત્રીના પહેલાં લગ્ન વાગરાના એક ગામમાં થયાં હતાં. જોકે, તેના જમાઇના મૃત્યુ બાદ તેમની પુત્રી તેની પુત્રી સાથ પરત તેમના ઘરે રહેવા આવી ગઇ હતી. દરમિયાનમાં તેમની પુત્રીના બીજા લગ્ન થતાં પૌત્રી તેમની સાથે જ રહેતી હતી. ગત 15મી એપ્રિલના રોજ બપોરના સમયે વૃદ્ધા તેમજ તેમના પતિ અને પુત્ર થતાં પૌત્રી ઘરે હાજર હતાં. દરમિયાનમાં બપોરના બે વાગ્યાના અરસામાં તેમની પૌત્રી ઘરમાં જણાઇ ન હતી. તેમણે આસપાસમાં તપાસ કરવા છતાં તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. જેના પગલે તેમણે તેમના સગાસબધીઓને ત્યાં પણ તપાસ કરાવી હતી. જોકે, ત્યાં પણ કોઇને તેમની પૌત્રી અંગે જાણ ન હોઇ આખરે તેમણે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે તેમની પૌત્રીને કોઇ અજાણ્યો શખ્સ ભગાડી ગયો હોવાની શંકા વ્યક્ત કરી હતી.
Advertisement
