ભરૂચ.
આમોદ પોલીસ સ્ટેશનમાં સીઆરપીસી કલમ ૧૦૨ તથા બીએનએસએસ કલમ ૧૦૯ ના કામનો લોખંડ ભંગાર મુદ્દામાલની હરાજી આગામી તા.૧૪મી મે ૨૫ ના રોજ આમોદ પોલીસ સ્ટેશન ખાતે ૧૧ કલાકે રાખવામાં આવેલ છે. જે હરાજીની ડીપોઝીટ પેટેની રકમ રૂ.૫૦,૦૦૦ તા.૧૩-૫-૨૫ ના રોજ સવારે ૧૧ થી ૫ વાગ્યા સુધીમાં આમોદ પોલીસ સ્ટેશન ખાતે લેવામાં આવશે અને ફકત જીએસટી નંબર ધરાવતા વેપારીઓની જ ડીપોઝીટ લેવામાં આવશે.
Advertisement
આવનાર વેપારીને જીએસટી પ્રમાણપત્રની પ્રમાણિત નકલ, પાનકાર્ડની પ્રમાણિત નકલ, આધારકાર્ડની પ્રમાણિત નકલ તેમજ તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લઈને આવવાનું રહેશે. ભંગારના વેપારીઓએ આમોદ પોલીસ સ્ટેશન મામલતદાર કચેરીની બાજુમાં આમોદ ખાતે તા. ૧૩-૫-૨૫ ના રોજ મુદ્દામાલ જોઈ લેવાનો રહેશે.
