Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાનું ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 79.66 ટકા પરીણામ આવ્યું : 11 છાત્રોએ એ1 ગ્રેડ મેળવ્યો

Share

ભરૂચ

ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા આજે સોમવારે ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યનું 83.51  ટકા પરીણામ નોંધાયું છે. રાજ્યભરમાં 1 લાખ છાત્રોએ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી. જેમાં 831 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં પાસ થયા છે.

Advertisement

ભરૂચ જિલ્લાનું પરીણામ જોઇએ તો ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં કુલ 2664 વિદ્યાર્થીઓ નોંધાયાં હતાં. જે પૈકીના 2660 વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી. આજે જાહેર થયેલાં પરીણામમાં તે પૈકીના 2115 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે 545 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઇ શક્યા નથી. જિલ્લામાં 11 વિદ્યાર્થીઓએ એ-1  ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 169 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ મેળવ્યો છે.

——

ભરૂચ : ધો. 12 સામાન્ય પ્રવાહનું કેન્દ્રવાર પરિણામ

– અંકલેશ્વર 94.85 %

– ભરૂચ 91.70

– ઝાડેશ્વર 90.10

– જંબુસર 89.29

– નેત્રંગ 99.54

– હાંસોટ 94.02

– વાલિયા 88.89

– થવા 98.67

– આમોદ 92.86

– ઝઘડિયા 95.81

– દહેજ 98.68

————–

ભરૂચ જિલ્લા ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્રવાર પરિણામ

 

– ઝાડેશ્વર 84.44 %

– ભરૂચ 83.45 %

– અંકલેશ્વર 76.03 %

– જંબુસર 75.33 %


Share

Related posts

અંકલેશ્વર પંથકમાં વણશોધાયેલ બે ગુનાઓ શોધી એક ઈસમની અટકાયત કરાઇ.

ProudOfGujarat

નેત્રંગના ભેંસખેતર ગામે મહિલા બાઇક ઉપરથી પડતા સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.

ProudOfGujarat

અમદાવાદમાં આવેલ વેજલપુરના સ્વરિત એપાર્ટમેન્ટમાં નવરાત્રિ મહોત્સવ ઊજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!