ભરૂચ.
વાગરા પંથકમાં રહેતા એક પરિવારની ધો.9માં અભ્યાસ કરતી પુત્રીને ઘરમાં કોઇ કારણસર તેમણે તકરાર થતાં તે રિસાઇને ઘરના ઉપરના માળે આવેલાં રૂમમાં જતી રહી હતી. મોડે સુધી તે રૂમમાંથી નીચે આવી ન હતી.તે રિસાયેલી હોવાથી નીચે નહીં આવતી હોવાનું પરિવારજનો સમજતાં હતાં. આખરે ઘણો સમય થતાં આખરે પરિવારજનોએ તેનો રૂમ ખખડાવ્યો હતો. તેમણે યેનકેન પ્રકારે રૂમમાં જઇને જોતાં તેમની પુત્રીએ ઘરની છતના એંગલ સાથે સાડી બાંધી તેનાથી ગળેફાંસો ખાઇ લીધો હતો. ઘટનાને પગલે વાગરા પોલીસ મથકે જાણ કરવામાં આવતાં પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
