Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના રતન તળાવનું પાલિકાએ જતન નહિં કરતાં પતન

Share

તળાવમાં અનહદ ગંદકીના કારણે માછલાઓના મોતથી સ્થાનિકોમાં રોષ
તાજેતરમાં જ તળાવમાંના એક ઐતિહાસિક કાચબાનું મોત થયું હતું
ભરૂચ.
ભરૂચ શહેરના મધ્યમાં આવેલું રતન તળાવ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અને તેમાંય તેમાં વસતાં દૂર્લભ અને શિડ્યુઅલ -1માં આવતાં કાચબાઓને કારણે તળાવનું મહત્વ હજી વધી જાય છે. જોકે, ભરૂચ નગરપાલિકા દ્વારા તેની ઐતિહાસિક ધરોહરની જાળવણી કરવામાં ઉણી ઉતરી હોવાનું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે. તળાવમાં વસતાં શિડ્યુઅલ 1માં આવતાં કાચબાની પ્રજાતિને બચાવવા માટે પાલિકા દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે થોડા થોડા સમયે તળાવમાં વસતાં કાચબાના મોત થવાની ઘટના સામે આવી રહી છે. તાજેતરમાં જ એક કાચબાનું મોત થતાં સ્થાનિકોએ પાલિકા સત્તાધિશો સામે રોષ વ્યક્ત કરવા સાથે તળાવની સ્વચ્છતા માટે ખાસ પગલાં ભરવામાં આવે તેવી માગ કરી હતી. જોકે, પાલિકા દ્વારા મામલાં કોઇ પગલાં હજી સુધી ભરાયાં નથી. ત્યાં તળાવની ગંદકીને કારણે હવે મોટી સંખ્યામાં માછલાઓના મોત થવાની ઘટના બની છે. ત્યારે લોકોમાં રોષ વધુ ફાટ્યો છે. પાલિકા દ્વારા રતન તળાવની સફાઇ માટે આળખ ખંખેરીને અને ઐતિહાસિક ધરોહરને બચાવવા માટેની ફરજ સમજીને તાત્કાલિક અસરે એક્શન પ્લાન બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Share

Related posts

“આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે ‘ક્લાઉડ કૉલિંગ’ ફીચર પ્રસ્તુત કર્યું, મોટર ક્લેમ ઇન્ટરએક્શનમાં બદલાવ લાવશે અને સેટલમેન્ટ્સને વેગ આપશે”

ProudOfGujarat

ભરૂચની જૂની મામલતદાર કચેરી પાસે નાણાંની સહાય અપાવવાની લાલચ આપી વૃદ્ધ મહિલાનાં સોનાનાં દાગીના કઢાવી છેતરનારા બે આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર વિસ્તારમાં થાઇલેન્ડથી આવેલ એક વ્યક્તિને પોલીસની મદદથી અવિધા આરોગ્ય કેન્દ્રનાં ઓબ્ઝર્વેશનમાં ખસેડાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!