ભરૂચ શહેરના કુકરવાડા રોડ પર ગોકુલ નગર ખાતેની ઘટના
ભરૂચ.
ભરૂચના કુકરવાડા રોડ પર આવેલાં ગોકુલ નગર ખાતે રહેતાં 69 વર્ષીlય આદમ મહમદ પટેલ સાંજના સમયે બાળકો માટે પડીકા તેમજ અગરબત્તી લેવા માટે નજીકમાં આવેલી એક દુકાને જવા ઘરેની નિકળ્યાં હતાં. દરમિયાનમાં તેમના ઘરની બાજુમાં રહેતાં યાસીને તેમને અકટકાવી બે દિવસ પહેલાં તમે શ્વાનોને કેમ તગડ્યા હતાં તેમ કહીં તેમની કોલર પકડી ઝઘડો કરવા લાગ્યાં હતાં. મામલો ગરમાતાં ઉશ્કેરાયેલાં યાસીને તેમને તમાચ પણ મારી દીધી હતી. દરમિયાનમાં યાસીનનું ઉપરાણું લઇને તેનો મોટો ભાઇ સાજીદ ઘરમાંથી લોખંડનો પાઇપ લઇને આવ્યાં હતો. બીજી તરફ તેમની બહેન પણ ત્યાં આવી પહોંચી હતી. સફિયાત્રણેયે ભેગા થઇ 69 વર્ષીય આદમભાઇ પર તેમને હુમલો કરી માર મારી ઇજાઓ પહોંચાડી હતી. સુફિયાએ તેમના માથામાં ઇંટનો ટૂકડો મારી દેતાં તેમને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે તેમણે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
