Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઈખર ગામની સગીરાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ

Share

પાલેજ
ભરૂચના આમોદના ઈખર ગામે નવી નગરીમાં રહેતા હસમુખભાઈ વસાવાની દીકરી દિપીકાબેન વસાવાએ દુપટ્ટા વડે ઘરે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સગીરાએ અગમ્ય કારણસર દુપટ્ટા વડે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતું. સગીરાને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. સગીરાએ જીવન ટુંકાવી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. આમોદ સામુહિક કેન્દ્ર ખાતે સગીરાના સગા સંબંધીઓ સહિત ફળીયાના લોકો પણ આવી પહોંચ્યા હતા. બનાવની જાણ આમોદ પોલીસને થતા આમોદ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકનો કબજો મેળવી આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Share

Related posts

સુરત : વર્લ્ડ હાર્ટ ડે ની પૂર્વ સંધ્યાએ રન અને રાઇડનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નીટ યુજીની પરીક્ષામાં છેડછાડ, સીબીઆઈએ માસ્ટરમાઇન્ડ અને સોલ્વર સહિત આઠને પકડયા.

ProudOfGujarat

અંકલેશ્વર ના ગડખોલ ગામમાં થયેલ ચોરી ના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!