Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે જાહેરનામું

Share

ભરૂચ જિલ્લામાં આવેલ જળાશયોમાં વ્યક્તિ કે પ્રવાસીઓનાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી

ભરૂચ – સોમવાર – ગૃહ વિભાગ, ગાંધીનગરનાં પત્રથી અત્રેનાં જિલ્લામાં આવેલ નદી, તળાવ, નહેર, દરીયા વગેરે જેવા જળાશયો સંદર્ભે જ્યાં જ્યાં અનિચ્છનીય ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલ હોય તેવા ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિ/ પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે જરૂરી પ્રતિબંધાત્મક હુકમો પ્રસિધ્ધ કરવા તેમજ આ હુકમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવેલ. આમુખ-૨ થી અત્રેનાં જિલ્લાનાં આ સાથે સામેલ પરિશિષ્ટ-૧ મુજબનાં જળાશયોમાં કોઈ પણ વ્યક્તિ/ પ્રવાસીઓનાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવા પોલીસ અધિક્ષકશ્રી, ભરૂચે અત્રે રજુઆત કરેલ છે.

Advertisement

જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ શ્રી ગૌરાંગ મકવાણા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ આ સાથે સામેલ પરિશિષ્ટ-૧ મુજબનાં તમામ 67 ભયજનક સ્થળો ઉપર કોઇ પણ વ્યક્તિઓ/પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે પ્રતિબંધ મુકવા આથી હુકમ કરુ છું.

અપવાદ:-
જાહેરનામામાંથી માછીમારી સાથે સંકળાયેલ લોકો તેમજ સરકારી ફરજ પર રોકાયેલ કર્મચારીઓને બાકાત રાખવામાં આવે છે.

શિક્ષા
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામાનાં ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉતરતી કક્ષાનાં ન હોય તેવા પોલીસ ખાતાનાં કર્મચારીશ્રી/અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. તેમ જિલ્લા મેજીસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.


Share

Related posts

ઋષભ રિખીરામ શર્માએ આ રીતે ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવી અને શરૂ કર્યો ‘સિતાર ફોર મેંટલ હેલ્થ’ ટૂર

ProudOfGujarat

અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ સંસ્થાનાં નવનિર્મિત બિલ્ડીંગનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

ડભાલી પાસે નર્મદા નહેરમાં ગાબડું પડતા ખેડૂતોના ઉભા પાકને નુકશાની, ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા વળતર ચૂકવવા માંગણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!