Proud of Gujarat
FeaturedGujaratINDIA

18 થી 44 વર્ષનાં લોકોના રસીકરણ માટે મહત્વના સમાચાર, કોરોના રસી લેવા માટેનો નિયમ બદલાયો.

Share

સરકાર દ્વારા વેક્સિનેશનના નિયમોમાં ફેરફાર કરાયા છે. દેશમાં કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે પરંતુ આમ છતાં હજુ જોખમ ટળ્યું નથી. કોરોના સામે સૌથી મહત્વનું હથિયાર રસી છે. હવે સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પણ રસીકરણ શરૂ કરી દીધુ છે. પહેલા 18 થી 44 વર્ષના લોકોએ રસી મેળવવા માટે કોવિન પોર્ટલથી એપોઈન્ટમેન્ટ લેવી જરૂરી રહેતી હતી. પરંતુ હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ નિયમને બદલી નાંખ્યો છે. હવે 18 થી 44 વયગ્રુપના લોકોને વેક્સિનેશન માટે ઘણી રાહત મળી છે.

નવા નિયમ મુજબ, આ લોકો વેક્સિનેશન સેન્ટર પર જઇને નોંધણી કરાવી શકશે અને એપોઇન્ટમેન્ટ લઈ શકશે. આ સુવિધા હાલમાં સરકારી વેક્સિનેશન સેન્ટરો પર આપવામાં આવશે. કેન્દ્રએ આ સૂચના તમામ રાજ્યોને મોકલી છે અને તેમને સ્થળ પર નોંધણી સુવિધા શરૂ કરવા જણાવ્યું છે. એ રાજ્યો પર આધાર રાખે છે કે તેઓ આ સુવિધા પોતાને ત્યાં શરૂ કરે છે કે નહીં. રાજ્યોમાંથી વેક્સિન માટે સ્લોટ બુક કરાયા પછી પણ લોકો વેક્સિનેશન સેન્ટર સુધી પહોંચતા ન હતા. એવામાં વેક્સિનના વેસ્ટેજની બાબતો વધી રહી હતી. આ અહેવાલોના આધારે જ કેન્દ્રએ આ નિર્ણય લીધો છે. આ સિવાય ગ્રામીણ વિસ્તારોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

Advertisement

Share

Related posts

ખાનગી તળાવ જેવા ખાડાઓ માં બનતી ઘટના અંગે જવાબદારી નગર પાલિકા ક્યારે નક્કી કર શે … કે બાય બાય ચારણી ની રમતો રમાયા કારા શે …ન,પા,સભ્ય મનહર પરમાર નું સુચન દયાનમાં લીધું હોત તો ….

ProudOfGujarat

માય લિવેબલ ભરૂચ હેઠળ હેપ્પી સ્ટ્રીટનું આયોજન, મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા, વિવિધ રમતોની મજા માણવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ઉદ્યોગો દ્વારા થતા પ્રદૂષણને અટકાવવા સંદીપ માંગરોલા એ મુખ્યમંત્રીને કરી રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!