Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં મિલેનીયમ માર્કેટ પાંચબત્તીને જોડતા રસ્તા પર 66 કેવીની લાઈન નાંખતા તૂટી ગયેલા રસ્તાનું સમારકામ ન થતા રહીશોને હાલાકી.

Share

ભરૂચ જિલ્લામાં અવારનવાર ખોદકામને લગતું કામ થતું રહેતું હોય છે ક્યારે ગટરો માટે ખોદકામ તો કયારે અન્ય લાઈનો માટે ખોદકામ કરવામાં આવે છે તે જ રીતે છેલ્લા 6 મહિનાથી ડી. જી.વી. સી. એલ દ્વારા ઘણા સમયથી લાઈન બાબતે ખોદકામ કરવા છતાં હાલ કામ પૂરું કરવામાં આવ્યું નથી.

ભરૂચ જિલ્લાના આચારજીથી મિલેનીયમ માર્કેટ પાંચબત્તી સુધી અંદાજિત 6 મહિના પહેલા ડી.જી.વી.સી. એલ કંપની દ્વારા 66 કેવી લાઈનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તે સમય દરમિયાન રસ્તાઓ ઉપર ખોદકામ કરવામાં આવ્યું હતું જેને લીધે છેલ્લા 6 મહિનાથી આચારજી વિસ્તારના રહીશો ભારે હાલાકી વેઠી રહ્યા છે અને વહેલી તકે રસ્તાનું કામ પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ગાંધી કાવ્ય કુંજ “ઇ બુકનું વિમોચન શ્રી ભાગ્યેશ જહા સાહેબનાં હસ્તે કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરના સજોદની સાર્વજનિક શાળાના આચાર્યએ શાળાની બાળા સાથે અડપલાં કરતા નોંધાઇ પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના અમલીકરણ બાબતે વિરોધ પ્રદર્શન કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!