Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

સમગ્ર રેતી ખનન ગેરકાયદેસર હોવા છતા રાજકીય ભંગના કારણે ભારે વાહનોના માલિકો બેલગામ::: વાંચો આગળ

Share

 

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામના રહીશો દ્વારા ભરૂચ જીલ્લા કલેકટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં ગુજરાત સરકારના ખાણ અને ખનીજ વિભાગના પરિપત્રને બીડાણ કરવામાં આવેલ છે. તેમજ હાઈકોર્ટના ચુકાદાનું પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે. ગુજરાત સરકાર અને હાઈકોર્ટે આપેલ ખાણ ખનીજ વિભાગમાં ઘણા ફેરફારો કરી માર્ગદર્શન આપેલ છે. એ માર્ગદર્શન અને સૂચનોનું સરેઆમ કરવામાં આવેલ ગાઈડલાઈન્સમાં આઠ મુદ્દાઓનો સમાવેશ થાય છે જેમાં રેતીનું ખનન સવારે ૬ પહેલા અને સાંજે ૬ પછી કરવાનું હોતું નથી માત્ર નદીના પટમાંથી જ રેતીનું ખનન કરવાનું હોય છે તેમજ મહત્તમ ત્રણ મિટરની ઊંડાઈ સુધી જ રેતીનું ખનન કરી શકાશે તેમજ જે સ્થળોએ નદીના પાણી સાથે ખારા પાણીના ભલી જવાની શક્યતા હોય તેવા સ્થળો એ સાદી રેતી ખનિજનું ખનન કરી શકાય નહિ, આવા નિયમો હોવા છતાં તેનો આડેધડ ભંગ થઇ રહ્યો છે. રાજકીય પદ ધરાવતા કેટલાક તત્વો આવા તમામ ગેરકાયદેસર સમગ્ર પરાક્રમમા સક્રિય છે. ખાંણ અને ખનીજ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી પરંતુ કહેવાય છે કે ભૂતકાળમાં પાંચ જેટલા ગેરકાયદેસર વહન થતા હાઈવા જપ્ત કર્યા હતા જેને રાજકીય દાબ દબાણ અપાવે એ છોડી પણ મુકાયા હતા. એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

Advertisement

વધુ મળતી માહિતી મુજબ આશરે એક દોઢ વર્ષ અગાઉ કલેકટર શ્રી આ વિસ્તારમાં આવા મોટા વાહનો પ્રતિબંધિત કરવા ભરૂચના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટએ સ્થળ નિરીક્ષણનો અભિપ્રાય મંગાવ્યો હતો. તત્કાલીન એસ.ડી.એમ ઓફિસર યાદવે આ અંગેનો અભિપ્રાય કલેકટરને મોકલી આપેલો ત્યારબાદ હાલના કલેકટરે આ બાબતે સ્પષ્ટ અભિપ્રાય મોકલવા હાલના એસ.ડી.એમ દેસાઈને શુચન કર્યું છે. ગામ લોકોની લાગણી અને માંગણી એવી છે કે છેલ્લા દોઢ વર્ષથી તલ્લે ચડેલ આ વિષયને વહેલી તકે કલેકટર અંગત રસ લઇ જાહેરનામું બહાર પાડે તેવી લોક માંગ ઉભી થવા પામી છે.


Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ઉપર હોટેલ હાઇવેમાં પાર્ક કરેલ ટ્રકમાંથી 1,51,440 ના એશિયન પેન્ટના કલરના ડબ્બા તેમજ ડ્રમની ચોરી થતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

ProudOfGujarat

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભરૂચ જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશો અમલમાં :30 એપ્રિલ સુધી ઉશ્કેરણીજનક ભાષણો અને કૃત્યો પર પ્રતિબંધ

ProudOfGujarat

અંકલેશ્વર જુના ને.હા.૮ પર આવેલા મયુર શોપિંગ સેન્ટરમાં ભંગારની દુકાનમાંથી ૯૦ કિલો તાંબુ અને ૧૦૦ કિલો અલ્યુમિનીયમ ચોરી કરી લઇ ગયા હતા.

ProudOfGujarat
error: Content is protected !!