ભરૂચ શહેર નજીક આવેલા રહાડપુર ગામની મિલન નગર સોસાયટીના રહીશો હાલ બિસ્માર રસ્તા અને ઉભરાતી ગટરના કારણે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. દોઢ વર્ષ પહેલા ગ્રામ પંચાયત દ્વારા ગ્રાન્ટ ફાળવીને અહીં રોડનું કામ કરાયું હતું. પરંતુ ટૂંકા ગાળામાં જ રોડ તૂટી ગયો છે અને તેની સાથે ગટરોના ઢાંકણાઓ તૂટી જતાં ગંદા પાણી રસ્તા પર વહેતા થઈ ગયા છે.
સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે,ફરિયાદો કર્યા છતાં ગ્રામ પંચાયત કે સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. રોડની હાલત બિસ્માર છે અને ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતાં રોગચાળો ફેલાવાની તકલીફ ઊભી થઈ છે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓને આ દિનચર્યા દરમ્યાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રહીશો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક અસરથી રોડ અને ગટર વ્યવસ્થાની મરામત કરવામાં આવે.
Advertisement
